જનતાનાં આશિર્વાદ સાથે બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપનો ભગવો લહેરાયો : વિનોદભાઈ ચાવડા
ભુજ - કચ્છઉદય : જનતાનાં આશિર્વાદ અને કાર્યકરોની અથાગ મહેનત સાથે પુર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાયા છે. બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતા. વડાપ્રધાનનો સંકલ્પ આજે પૂર્ણ થયો. અરાજકતા, ધુસપેડીયોને હાંકી કાઢવા બંગાળ ચુંટણી પ્રચારમાં મોદીજી અને અને અમિત શાહજી રાત - દિવસ પ્રચાર કરી બંગાળની જનતાને વિશ્વાસ આપ્યો હતો કે, બંગાળમાં હવે સુશાશન સ્થાપશે. વિકાસને શાંતિ સ્થાપશે. આસામ અને પોંડીચેરીમાં ગત પાંચ વર્ષના સુશાસન લોકોપયોગી કર્યો થયા. જનતાએ પોતાનું સમર્થન અને વિશ્વાસ ભાજપમાં વ્યક્ત કરી ભવ્ય વિજય અપાવ્યો છે. તે બદલ ખુશી સાંસદે વ્યક્ત કરી હતી અને પંચે વિધાનસભામાં રાત - દિવસ કાર્ય કરનાર કાર્યકરોનો આભાર માન્યો હતો.
------

Comments