ખાવડામાં મંદિરના પુનઃનિર્માણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ખાવડા મુકામે મંદિરના પુનઃનિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરથી શરૂ થયેલી આ નગરયાત્રા પ્રમુખસ્વામી નગરમાંથી પસાર થઈ હતી, જેમાં રાસમંડળી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પવિત્ર પ્રસંગે સ્થાનિક વેપારી સમાજે પોતાના કામકાજ બંધ રાખીને યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજન પંકજ રાજદે, હિતેશ બળીયા, શાકરીયાભાઈ, મહિલા મંડળ તથા રાસગરબા મંડળના સાથીદારોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે રાત્રિના સમયે જાણીતા કલાકાર રાજભા ગઢવીના ભવ્ય સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
------

Comments