સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલયે રૂદ્રી - પૂજા કરી
નખત્રાણા - કચ્છઉદય : પવિત્ર તિર્થધામ માતાનામઢ ખાતે ચાચરકુંડમાં આવેલ પ્રસિદ્ધ પ્રાચીન શિવાલય નાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે સાબરકાંઠાના સાંસદ સભ્ય શોભનાબેન બારિયા તથા સાંબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારિયાએ ભગવાન ભોળેનાથને રૂદ્રી- અભિષેક કર્યા હતા. માતાનામઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ બંને અગ્રણીઓનું સન્માન કર્યા હતા. વિકાસ બાબતે માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, મા આશાપુરા પ્રત્યે અપાર આસ્થા ધરાવતા સાંસદ સભ્ય શોભનાબેન તથા મહેન્દ્રસિંહ બારિયા દર નવરાત્રીમાં છેલ્લા રપ વર્ષથી માતાનામઢ દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેમણે શિવાલય ખાતે રૂદ્ર - અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી.
-------

Comments