Home Blog Page 352

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું કંડલા એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરાયું

0

કચ્છની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કંડલા એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીશ્રીનું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી વાસણભાઇ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી ઇલવંતીબેન પ્રજાપતિ, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ એસ.પી.શ્રી મહેન્દ્ર બગડિયા વગેરે દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેલચોર ભરતના અડ્ડા પર સપાટો બોલાવનાર અંંજાર PI સિસોદીયાની ટીમને શાબાશ છે..!

0

  • IGશ્રી-પૂર્વ કચ્છ SPશ્રીએ શ્રી સિસોદીયાની પીઠ થબથબાવી જોઈએ

અગાઉ કેટલીય વખત ભરતના અડ્ડાઓ પર રેડ પડી, સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી ગઈ,છતાં પણ સીલ કરેલા જ્થથા માલ ભરત આણી ટોળકીના અડ્ડા પરથી બેખોફીથી વેંચાતો રહ્યો, પરંતુ હવે ફરીથી અંજાર પોલીસે દરોડો પાડીને કરી દેખાડી છે હિમંતભરી કાર્યવાહી

હવે અંજાર પોલીસ આ ભરત આણી ગેંગની સામે અંતિમ તબક્કા સુધીની કરે ઝીણવટભરી તપાસ : ભરત આહિરને છાવરે છે કોણ? કયા ઝભ્ભાલેંગાધારી ભરત જેવાઓના તેલચોરીના ધંધાઓને શેહ આપી રહ્યા છે? પોલીસતંત્રએ આવા તત્વો-રાજકારણીઓના ગુપ્ત રીપોર્ટ કરવા જોઈએ.., જો અંજાર પોલીસ આવા ગુપ્ત અહેવાલો કરી દેખાડે તો આગામી સમયમાં ભરત જેવા તેલચોરને છાવરનારા રાજકારણીઓની ટિકિટ થઈ જાય ફાઈનલ..!

આ ભરત એટલો લાગવગ વાળો છે કે, તેની ધરપકડ પણ થતી નથી, અને સમ ખાવા પુરતી ધરપકડ થાય તો આ ભરતને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાય છે, આ ભરત પર પાસા-કે હદપાર જેવા પગલા કેમ લેવામાં નથી આવતા? આ તો ભલુ થજો અંજારના પીઆઈશ્રી સિસોદીયાનું કે, રેડ તો કરી દેખાડી, આવા તત્વોના કારણે ટ્રાન્સપોર્ટરની હાલત બહુ કફોડી થઈ જતી હતી

ગાંધીધામ : શાબાશ છે ટીમ અંજાર પીઆઈને..! તાજેતરમાં જ તેઓની ટીમ દ્વારા પૂર્વ કચ્છનો કુખ્યાત અને ફાટીને ધુમાડે ગયેલ ભરત આહીર નામના તેલચોરના વરસાણા ચોકડી પાસે આવેલા અડ્ડા પર તવાઈ બોલાવી દીધી છે. અહીથી મુદામાલ પકડયો છે. હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી તેલચોરી, તેનો ગેરકાયદેસર ખુલ્લેઆમ સંગ્રહ કરી અને તેલચોરીનો વ્યાપક નેટવર્ક લાંબા સમયથી ચલાવતા ભરત આહિર નામના શખ્સ લાંબા સમયથી બેરોકટોક રીતે આવા બેનંબરી ધંધાને ધમધમાવતો ફરતો હતો અને પેાલીસને પણ જાણે કે, રીસતરનો પડકાર જ ફેકતો હોય તેવો તાલ થવા પામતો હતો આવામાં હવે અંજાર પોલીસના શ્રી સિસોદીયાની ટીમે વરસાણા ચોકડી પાસે ભરતના અડ્ડા પર ત્રાટકીને આ તેલચોરીની બકરી ડબ્બામાં ને પુછડી બહારનો જ તાલ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે તેમ કેહવુ વધારે પડતુ નહી કહેવાય.આ ભરત આહીર વરસાણા સહિતના પટ્ટામાં તેલચોરીના હબ બનાવીને બેઠો હતો. લાંબા સમયથી ભરત નામનો શખ્સ ટેન્કરોમાથી ડ્રાયવર-કલીનરને કયાંક લલચાવી ફોસલાવીને તો કયાંક ડરાવી-ધમકાવીને ભારે મોટા પ્રમાણમાં તેલચોરી કરી રહ્યો છે. અગાઉ પણ તેનુ નામ અને વરસાણા પટ્ટો તેલચોરીમાં ચકચારી રહ્યો છે. આ ભરતની સામે ચકાસણી થશે તો ભુતકાળમાં પણ તે આવા કારનામાઓ આચરવા બદલ પોલીસ ચોપડે મળી જ જવા પામશે. એટલુ જ નહી પણ ભરતનો જે માલ સીલ કરેલો હોય તેમાથી પણ તે ચોરી કરતો હોવાના ઘટનાક્રમો બહાર આવશે, સ્થાનિક પોલીસ તો ખરી જ પણ અહી વિજિલન્સ, સીઆઈડી ક્રાઈમની ટુકડી પણ ત્રાટકી અને કેસ દાખલ કરી ગઈ છે.લાંબા સમયથી ભરત તેલચોરીના નેટવર્કને બેખોફીથી બેરોકટોક ચલાવતો હોવાનુ આવા ઘટનાક્રમો પરથી જ ફલિત થવા પામી રહી છે. હવે અંજાર પોલીસના પીઆઈ શ્રી સિસોદીયા અને તેમની ટીમે ભરત પર દરોડો પાડીને ફફડાટ ફેલાવી દીધો છે. ત્યારે ભરત આટઆટલો ફાટીને ફુલેકે ગયો છે કોના ભરોસે? કોણ ભરતને હિમંત આપી રહ્યુ છે? કોણ આવા તેલચોરને છાવરી રહ્યુ છે? શુ ભરતની પાછળ કાઈ રાજકારણીનો પણ હાથ રહેલો છે? ભરતનુ નામ તેલચોરીમાં અનેકવાર ઉછળ્યુ છે પણ તેની સામે કાર્યવાહી ખુબજ હળવી કલમોથી પૂર્ણ કરી લેવાતી હોય છે? આવી ગોઠવણી કયા ઝભ્ભાલેંગાધારીઓના ઈશારે કરવામાં આવતી હોય છે? તે બધી જ તપાસ કરી અને ખરેખર હવે અંજાર પોલીસે ભરતની સામે કડક કાર્યવાહી કરવામાં જો કોઈ રાજકીય આગેવાન નડતરરૂપ બનતા હોય તો તેનો ગુપ્ત અહેવાલ સરકાર તબક્કે કરી દેવો જોઈએ. જે કોઈ પણ રાજકારણી ભરતને છાવરતા હોય તેમનો નામજોગ ઉપલી કક્ષાએ અહેવાલ થશે એટલે વિધાનસભાની ચૂંટણીમાં તેની ટિકિટ તો ફાઈનલ થઈ જ જશે..! અહી જણાવી દઈએ કે, આ ભરતના ગેરકાયદેસર તેલચોરીના લાંબા સમયથી ચાલતા અડ્ડાઓના લીધે સાચો વેપારી-ટ્રાન્સપોર્ટસ સહિતનાઓ હાય તોબા હાય તોબા પોકારી ગયા હતા.કારણ કે, ટેન્કરમાં માલ તો ઓર્ડર અનુસારના જ ભરાયા હોય, પણ માર્ગમાં ભરતની ગેંગ તેમાથી ચોરીઓ કરી ટેન્કર કાઢી લે એટલે વેપાર-ધંધો જેઓએ પરસપર નકકી કર્યો હોય તેઓની વચ્ચે વિના વાંકે ઘર્ષણની સ્થિતી ઉભી થવા પામી જાય અને નાહકના ડખ્ખા, ધંધાની નુકસાની, આર્થીક ફટકાઓ પડી રહ્યા છે. ભરતના વરસાણા સહિતના જેટલા પણ પોઈન્ટ ધમધમતા હોય તે બધાયને અટકાવવા જોઈએ અને તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી ઘટે તે જ સમય નો તકાજો બની રહ્યો છે.

મુંદરાના હટડીમાં પવનચક્કીવાળી કંપની હવે આવશે સાણસામાં : લેન્ડગ્રેબીંગના ભણકારાં!

0

યુવા જાગૃત નાગરીકે કચ્છ કલેકટર કક્ષાએ રજુઆત કરતા, અરજીનો સ્વીકાર કરીને નિવાસી અધિક કલેકટર કક્ષાએથી પ્રાંતશ્રી મુંદરાને કાર્યવાહી કરવાનો આદેશ થતા મુંદરા પ્રાંતકક્ષાએ મામલતદારથી માંગ્યા અભિપ્રાય, ૧પમી ઓકટો.સુધીમાં માહીતીઓ આપવાનું અપાયું અલ્ટીમેટમ

નદીપટ્ટમાં ગ્રામ પંચાયત કે અન્ય કોઈ પણ તંત્રની મંજુરી લીધા વિના જ આડેધડ ૬૦થી વધુ વીજવાયરના થાંભલાઓ નાખી દેનાર રીન્યુ.પાવર કંપનીની દાદાગીરી ભર્યા કૃત્યુનં હવા હવે નીકળશે : આગામી ૧૮મીએ પ્રાંત કક્ષાએ સુનાવણીમાં અચુક હાજર રહેવાની કરાઈ તાકીદ, અગાઉની જેમ હવે કંપનીવાળાઓ હાજર નહી રહે તો થશે મોટી કાર્યવાહી..!

જિલ્લાસ્તરેથી લેન્ડ ગ્રેબીંગ મુદ્દેનો પત્ર આવ્યો છે, મામતલદાર કક્ષાએથી સમયમર્યાદામાં આધારો-પંચનામા સાથેનો અભિપ્રાય રજુ કરવાનુ જણાવાયુ છે : પ્રાંત અધિકારીશ્રી-મુંદરા : અમને આવી કોઈ નોટીસ મળવા પામી નથી, અને અમારી કંપનીમાં વહીવટી બધી જ મેટર્સ કાર્પોરેટ અફેર્સ દીલ્હી કક્ષાએથી જ જોવાય છે, અમો આ વિષય માટે કંઈ પણ કહેવા અસમર્થ છીએ : વિજયભાઈ(રીન્યુ.પાવર લી.કંપની) : પ્રાંત કક્ષાએથી ચોકકસથી લેખિત આદેશ અપાયો હશે, પરંતુ હજુ સુધી અમને મળવા પામ્યો નથી, આદેશ મળેથી વેળાસર જ ધોરણસરની કાર્યવાહી ચાલુ કરી દેવામા આવશે : શ્રી વિજય પટેલ(મામલતદાર-મુંદરા)

ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઉદ્યોગોએ અહીના ગ્રામીણ જીવનને તહેસ નહેસ કરવામાં કાંઈક બાકી છોડી દીધુ હશે તો પાછલા પાંચેક વરસથી કચ્છના ગ્રામીણ જીવનને વેરવિખેર કરવાની દીશામાં પવનચક્કીવાળાઓ લુખ્ખી અને ખુલ્લી દાદાગીરી કરીને તે કસર પુરી કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ એક પછી એક સતત ઉજાગર થવા પામતા જ રહે છે. દરમ્યાન જ મુંદરા તાલુકાના હટડી ગામની સીમમાં પણ નદીમાથી પવનચક્કી માટેના વીજથાંપલાઓ-ટ્રાન્સમિશનની લાઈનોના ૬૦થી વધુ થાંભલાઓ ખડકી દીધા સબબ જાગૃત નાગરીકે અનેકવિધ રીતે રજુઆતો કર્યા છતા માથાભારે અને ચમરબંધી કંપનીઓની સામે જાણે કે સબંધિત સ્થાનિક તંત્રો ઘુંટણીયે જ પડયુ રહેતુ હોય તેમ કાર્યવાહી થવા જ ન પામતા અંતે લેન્ડ ગ્રેબીંગ કાયદા તળે કાર્યવાહી કરવાની અરજી દાખલ કરતા તેનો સ્વીકાર કરી અને જિલ્લાતંત્ર હવે એકશનમાં આવી ગયેલુ દેખાવવા પામે છે અને તેના પગલે જ આ કંપની હવે સાણસામાં આવે તેવી સ્થિતી પણ પેદા થતી જોવાઈ રહી છે. આ બાબતે પ્રાંત અધિકારીશ્રી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મુંદરાનાઓ દ્વારા મુંદરા મામલતદારશ્રીને લેખિતમાં તાકીદ કરી અને ખુબ જ અગત્યની નોધ, સમયમર્યાદામાં માહીતીઓ પુરી પાડવાની સુચનાભર્યો આદેશ કરી દીધો હોવાનુ માલુમ પડી રહ્યુ છે. આ આદેશમાં જણાવ્યા અનુસાર મુંદરા પ્રાંત અધિકારીને ભુજના નવાસી અધિક કલેકટરશ્રીએ પત્ર લખી, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ર૦ર૦ તળે સબંધિત કેસમાં કાર્યવાહી કરવાની સુચનાઓ મળી હોવા અન્વયે આ કામના અરજદાર જયપાલસીહ લાલુભા જાડેજા દ્વારા મોજે હટડી તા.મુંદરા સ.ન.૪૩૦વાળી જમીન અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિદ્યેયક ર૦ર૦ અંતર્ગત ઓગષ્ટ ર૦રરમાં અરજી કરેલી છે. મુંદરાના પ્રાંત અધિકારીએ મામલતદારશ્રી પાસેથી આ અરજી સબબ સ્પષ્ટ અભિપ્રાય સાથેનો અહેવાલ આગામી તા.૧પમી ઓકટોબર સુધીમાં અચુક રજુ કરવાની તાકીદ સાથે સુચનાઓ લેખિતમં પાઠવી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. પ્રાંતશ્રી મુંદરાએ જણાવ્યા અનુસાર મામલતદારશ્રીએ આ કેસમાં તમામ ૭/૧ર, ૬-હકકપત્રક,૮-અ રજુ કરવા, નોંધોના સાંકળીયુ તેયાર કરવુ, સ્થાનિકનુ અદતન પંચોજકા સામેલ રાખવુ જેમા વાદગ્રસ્ત જમીન પર હાલ કોનો કબ્જો છે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો, આ સાથે જ ચેકલીસ્ટ સહિતનુ જરૂરી તપાસ અહેવાલ મોકલી આપવાનો આદેશ નાયબ કલેકટર મુંદરા દ્વારા મામલતદારને કરવામાં આવ્યો છે. નોધનીય છે કે, આ સમગ્ર કેસ બાબતે રજુઆત કર્તા ફરીયાદી તથા જેની સામે સવાલો ખડા કરાયા છે તે રીન્યુએબલ પાવર કંપની બન્નેને આગામી ૧૮ ઓકટોબરના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે પ્રાંત કચેરીએ બિનચુક હાજર રહેવાની પણ તાકીદ કરવામા આવી છે. નોધનીય છે કે, આ હીયરીંગમાં હાજર નહી રહેનારા કોઈ જ પ્રકારની રજુઆત કરવા માંગતા નથી એમ માની ગુણદોષ આધારે અહેવાલ ઉચ્ચસ્તરે મોકલી આપવામાં આવશે તેમ પણ જણાવાયુુ છે. એટલે અહી નોધવુ ઘટે કે, ફરીયાદી તો અગાઉ પણ દરેક તારીખો પર હાજર જ રહ્યા છે પરંતુ પવનચક્કીવાળી આડેધડ થાંભલા નાખી દેનારી કંપનીના કેાઈ જ જવાબદાર કે પ્રતિનિધીઓ હજુ સુધીની એક પણ સુનાવણીમાં હાજર રહ્યા જ નથી. આ વખતે તેઓને અચુક હાજર રહેવુ પડે તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આ અંગે પ્રાંત કચેરી મુંદરાએ પુછતા જણાવ્યુ હતુ કે, અમે મામલતદારશ્રી મુંદરા પાસેથી લેખિત વિગતો મંગાવેલી છે, જે આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામા ંઆવશે. તો મુંદરાના તાજેતરમા જ કાર્યભાર સંભાળેલા મામલતદારશ્રી વિજયભાઈ પટેલને પુછતા તેઓએ કહ્યુ કે, હજુ સુધી લેખિતમાં અમને આવી કોઈ સુચના મળી નથી, પત્ર મળેથી વિના વિલંબે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો વળી રીન્યુ પાવર પ્રા.લી.કંપનીના વીજયભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વહીવટી તમામ બાબતો કંપનીના કાર્પોરેટ એફેર્સ વિભાગ દિલ્હીથી જ જોવામાં આવે છે તેઓ કંઈ પણ કહેવા અસમર્થ છે.

ટાગોર રોડ પર અકસ્માત સર્જનારા પટેલ ટ્રાવેલ્સના ચાલક સામે ફરિયાદ

0

શ્રમીક પરિવારના ત્રણ સંતાનો નોંધારા બન્યા

ગાંધીધામ : બે દિવસ પૂર્વે ગાંધીધામના ટાગોર રોડ પર બીએસએનએલની ઓફિસ સામે પટેલ ટ્રાવેલ્સની બસ નં.એનએલ-૦૧બી-રર૪રના ચાલકે પૂર ઝડપે બસ હંકારી ફરિયાદી અંબાજીના કાળાભાઈ લશમાભાઈ પરમારના ભાઈને હડફેટમાં લઈ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણજનાર પાવરાભાઈ થાવરાભાઈ (ઉ.વ. ૪૦)એ આજથી ૮ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી ગાંધીધામ સ્થાઈ થયા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જોકે, પત્ની કોઈની સાથે ભાગી ગઈ હતી. જેથી ત્રણ સંતાનો અને થાવરાભાઈ થોડા સમય વતનમાં રહ્યા બાદ મહિના પહેલાં ગાંધીધામ આવ્યા હતા. ફરિયાદી કાળાભાઈ પોતાના ઘરે હતા ત્યારે અંબાજી પોલીસમાંથી ફોન આવ્યો કે, તમારા ભાઈનું અકસ્માત થયું છે. જેથી તેઓ અહીં આવ્યા ત્યારે જીઆઈડીસીમાં રહેતા ભાઈના ઘરે પહોંચ્યા અને પોલીસને મળ્યા બાદ જાણવા મળ્યું કે, પટેલ ટ્રાવેલ્સની બસના ચાલકે ટક્કર મારતા ભાઈનું મોત થયું છે ત્યારે ૮ વર્ષના દીકરા અર્જુનને ઈજાઓ થઈ હતી. જેથી બાળકો અને લાશનો કબજો સંભાળી લીધા બાદ ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીધામ સેકટર વન-એમાં ગુટખાના વેપારી પર SGSTની તવાઈ : તપાસથી કરચોરોમાં ફફડાટ

0

પ્લાસ્ટીક પેકીંગના બદલે કાગળ પેકીંગથી વેંચાણ કરવાના સરકારના આદેશો બાદ ગુટખા-તમાકુના વેપારમાં થઈ રહેલા કાળા બજારના પગલે જીએસટીની ટીમોના રડારમાં ગુટખા-તમાકુના વેપારી હોવાની ચર્ચા

ગાંધીધામ : તા. ૧ એપ્રિલથી દેશભરમાં પ્લાસ્ટીક પેકિંગમાં વેચાતા ગુટખા-તમાકુ પર પ્રતિબંધ લગાવવાના અને કાગળના પેકિંગમાં જ વેચવાના સરકારના આદેશથી છેલ્લા કેટલાંક દિવસોથી પ્લાસ્ટીક પેકિંગ ગુટખા-તમાકુના
વેપારમાં થઇ રહેલાં કાળા બજારને પગલે ગુટખા-તમાકુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ગુટખા-તમાકુના હોલસેલના વેપારીઓ વેચાણ વેરા વિભાગના નજરે ચઢ્યા છે. જેમાંથી ગાંધીધામ સંકુલ પણ બાકાત રહેવા પામ્યુ ન હોય તેમ અહી પણ સેકટર વન એ વિસ્તારમા આવેલી ગુટખાની એક પેઢી પર સ્ટેટ જીએસટી એકમની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. શહેરના સેકટર વન એ વિસ્તારમાં ગુટખાનો વેપાર કરતી પેઢી પર રાજયના વાણિજય વેરા વિભાગની તપાસનીશ ટુકડીએ ઓંચિતી રેડ કરી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. શુક્રવાર એટલે કે ગઈકાલે બપોર શહેરના સેકટર વન એ વિસ્તારમાં આવેલી ગુટખા સલગ્ન એક પેઢીમાં જીએસટી વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા અને છાનબીન શરૂ કરી હતી. જો કે, આ અંગે અધિકારીઓએ વધુ વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો હતો.પરંતુ કયાંક ને કયાંક ગુટખાની પેઢીઓમાં બિનહિસાબી વેપાર ચાલતો હોઈ તેમજ મોટા પ્રમાણમાં કરચોરી કરાતી હોવાની પણ આશંકાઓ સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. અધિકારીઓ આ બાબતે વધુ વાત જ ન કરતા કેટલી કરચોરી પકડાઈ છે, બિનહિસાબી વ્યહવારો મળ્યા છે કે નહી? તથા દંડની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? તે સહિતના સવાલોના જવાબ નિરૂત્તર જ રહી જવા પામ્યા છે. જો કે, ગુટખાના વેપારીને ત્યા જીએસટીની ટીમ આવી હોવાની વાત જંગલમાં આગની માફક ફેલાઈ જવા પામતા અન્ય કરચોર તત્વોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

કચ્છના ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારો સંપર્ક વિહોણા બન્યાનું ઉજાગર

0

  • ૮૦ વર્ષથી વધુ વયના મતદારોને સન્માનવા ટાંકણે વિગત આવી સામે

મતદારના મૃત્યુ, અન્ય સ્થળે રહેણાંક બદલ્યા બાદ નામ કમી ન કરાવ્યાનું તારણ : ચૂંટણી તંત્રે ફોર્મ – ૭ ભરી નામ કમી કરવાની હાથ ધરી કામગીરી

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ત્રણેક માસ જેટલો સમય બાકી રહ્યો હોઈ રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. હાલમાં જ ચૂંટણી પંચની સુચના અનુસાર ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ ધવર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી ૮૦ વર્ષથી વધુ ઉમરના મતદારોને શુભેચ્છા પત્ર પાઠવી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા, ત્યારે આ ઝુંબેશ દરમ્યાન ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારો સંપર્ક વિહોણા બન્યાનું ઉજાગર થવા પામ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાની છ સહિત રાજ્યની ૧૮ર વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના મહાપર્વ એવા વિધાનસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ અત્યારથી જ સક્રિય બન્યું છે. સિનિયર સિટીઝનો તેમાં પણ ખાસ કરીને ૮૦ વર્ષથી વધુની ઉમરના મતદારો મતદાન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશાનુસાર કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાની છ વિધાનસભા બેઠક પર નોંધાયેલા ૮૦ વર્ષથી વધુની ઉમરના ૩પ૧૮૦ મતદારો મતદાન કરે તે માટે તેઓને પત્ર લખવામાં આવ્યા હતા. બીએલઓ મારફતે આ પત્રો તમામ મતદારો સુધી પહોંચતા કરાયા છે. આવા મતદારો પ૦ વર્ષથી વધુ સમયથી મતદાન કરી રહ્યા છે તે માટે તેઓને શુભેચ્છા પણ પાઠવવાની સાથોસાથ આ સિનિયર સીટીઝન મતદારો ચૂંટણીમાં મતદાન કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડે તે માટે વિનંતી પણ કરાઈ હતી. જો કે આ કામગીરી દરમ્યાન ૧૬૦૦ થી વધુ
બુઝૂર્ગ સંપર્ક વિહોણા બન્યાની પણ માહિતી મળવા પામી છે.આ બાબતે કચ્છના ચૂંટણી વિભાગના સુત્રોએ કે, ચૂંટણી પંચના આદેશ મુજબ કચ્છ જિલ્લામાં પણ ૮૦ વર્ષથી વધુ ઉમરના ૩પ૧૮૦ મતદારોને બીએલઓ મારફતે ઘરે જઈને શુભેચ્છા પત્ર પાઠવવામાં આવ્યા હતા. આ પત્ર પાઠવતી વેળાએ કચ્છની છ વિધાનસભા બેઠકો પર ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારોનો સંપર્ક થઈ શકયો ન હતો. મતદારના મૃત્યુ, અન્ય સ્થળે રહેણાંક બદલ્યા બાદ નામ કમી ન કરાવ્યાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ ચૂંટણી તંત્રે ફોર્મ – ૭ ભરી નામ કમી કરવાની કામગીરી હાથ ધરી છે.

 

દિપાવલી પર્વ : કચ્છની ટ્રેનોમાં હાઉસફુલના પાટિયા

0

એડવાન્સ બુકીંગ માટે અત્યારથી ભારે ધસારો : વેકેશન ઉપરાંત તહેવારોના પગલે કચ્છ મુંબઈ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી સહિતની ટ્રેનોમાં વધતું વેઈટીંગ : નવરાત્રીને પગલે મુંબઈગરાઓ માદરે વતન આવ્યા હોઈ અત્યારથી ટ્રેનોમાં જોવા મળી રહ્યો છે ટ્રાફિક : હવાઈ મુસાફરોની સંખ્યામાં સારો એવો વધારો

ભુજ : નવલા નોરતાની સાથે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. દિવાળીને આડે એક માસ કરતા ઓછો સમય બાકી રહ્યો હોઈ દિપોત્સવી, નૂતન વર્ષ સહિતના પર્વો માટે પણ લોકો સજ્જ બની રહ્યા છે. દિવાળીની સાથે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગની મોસમ પણ શરૂ થશે ત્યારે અત્યારથી જ આ માટે બુકીંગ શરૂ થઈ ગયા હોઈ કચ્છની ટ્રેનોમાં દિપોત્સવી પર્વ દરમ્યાન હાઉસફુલના પાટિયા જોવા મળી રહ્યા છે. એડવાન્સ બુકીંગ માટે ભારે ધસારો હોઈ કચ્છ એકસપ્રેસ, સયાજીનગરી સહિતની ટ્રેનોમાં વેઈટીંગ વધતું જઈ રહ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છીજનો ધંધા – રોજગાર અર્થે દાયકાઓથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા છે. અન્ય રાજ્યોમાં પણ કચ્છીઓની સંખ્યા નોંધપાત્ર છે. વાર તહેવારો તેમજ વેકેશન દરમ્યાન આ લોકો માદરે વતન આવતા હોય છે. તેવી જ રીતે કચ્છમાં સ્થાયી થયેલા પરપ્રાંતિય લોકો પણ પોતાના વતન તરફ ડગ માંડતા હોય છે. જેના લીધે ઉનાળુ તેમજ દિવાળી વેકેશન દરમ્યાન કચ્છની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળતો હોય છે. આ સરહદી જિલ્લો પર્યટન ઉદ્યોગના હબ તરીકે ઉપસી આવ્યો છે ત્યારે દર વર્ષે દિપોત્સવી પર્વની સાથોસાથ પર્યટન ઉદ્યોગના મહાપર્વ એવા રણોત્સવનો પણ
પ્રારંભ થતો હોઈ પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં કચ્છની મુલાકાતે આવતા હોય છે. આગામી ર૧ ઓકટોબરથી દિપોત્સવીના પંચપર્વનો પ્રારંભ થશે. તો ર૬ ઓકટોબરથી રણોત્સવનો પણ ધમધમાટ શરૂ થશે.દિપોત્સવી પર્વ ઉપરાંત પર્યટનની મોસમના પગલે અત્યારથી જ બુકીંગ શરૂ થઈ ગયા હોઈ કચ્છથી મુંબઈ જતી તેમજ અન્ય વિસ્તારોને જોડતી ટ્રેનોમાં બુકીંગ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિપોત્સવી પર્વના દિવસોમાં તો વેઈટીંગની સ્થિતિ પણ સર્જાઈ છે. ટ્રેન ઉપરાંત હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ અત્યારથી જ વધારો થયો છે. નવરાત્રીને પગલે મુંબઈગરાઓ માદરે વતન આવ્યા હોઈ અત્યારથી ટ્રેનોમાં સારા પ્રમાણમાં ટ્રાફિક મળી રહ્યો છે.

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી બાજરીની સીધી ખરીદી કરશે

0

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ  માર્કેટિંગ સિઝન ૨૦૨૨-૨૩ માં ડાંગર,મકાઈ, બાજરીની ખરીદી આગામી તા.૧૭-૧0-૨૦૨૨ થી તા.૩૧-૧૨-૨૦૨૨ દરમિયાન ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭, અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.

ભારત સરકાર દ્રારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. ધ્વારા/ગોડાઉન કક્ષાએ તા. ૦૧-૧૦-૨૨ થી ૩૧-૧૦-૨૨ સુધી ચાલુ રહેશે. જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની કોપી, બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક (IFSC CODE સહિતનો) જેમાં ખેડૂતના નામ, એકાઉન્ટ નંબરનો ઉલ્લેખ હોવો જોઈએ, અધતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અની ઓનલાઈન પ્રમાણિત નકલ, ગામ નમૂના ૧૨માં પાકની  વાવણી અંગેનો તલાટીનો દાખલો (સહી સિક્કા સાથે) રજુ કરવાનો રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેવું નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨) ગુ.રા.ના.પુ.નિ.લી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

વિકાસને વેગવંતો બનાવવા આપણે હંમેશા તત્પર રહીએ- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય

0

રૂ.૪.૯૬ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ સીસીરોડનું વિધાનસભા અધ્યક્ષાશ્રીએ ખાતમુહૂર્ત કર્યું

આજરોજ ભુજ નજીક હરિપર ખાતે નિર્માણ થનારા વિવિધ સીસીરોડનું વિધાનસભા અધ્યક્ષાશ્રીડો. નિમાબેન આચાર્યે ખાતમુહૂર્ત કર્યું હતું

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે આપણે વિકાસમાં ભાગીદાર બનીએ અને વિકાસને વેગવંતો બનાવીએ.

વધુમાં જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિમાં ગામે ગામ અને શહેરે શહેરોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે આપણે પણ આ વિકાસમાં ભાગીદાર બનીએ અને આગળ વધીએ.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ વિસ્તારના વિવિધ વિકાસકામોની વાચા આપવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે જે નવી નવી ગ્રાન્ટો મંજૂર થાય છે તે તેમાં આપણા વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યનો સિંહ ફાળો છે.

આ પ્રસંગે નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મનુભા જાડેજા, કાઉન્સેલરશ્રી સંજયભાઇ ઠક્કર, અગ્રણી સર્વશ્રી બાલકૃષ્ણ મોતા, ગોદાવરી બેન ઠક્કર શાસક પક્ષના નેતાશ્રી અશોકભાઈ પટેલ, તેમજ કાઉન્સિલરો અગ્રણીઓ અને ગ્રામજનોઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અજરખપુરમાં ૮ ઓકટોબરથી ત્રિદિવસીય એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક યોજાશે

0

ભુજ : તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંચાલિત એલએલડીસી મ્યુઝિયમ દ્વારા આગામી તા. ૮ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક ૨૦૨૨ યોજવામાં આવશે.
શ્રૃજન એલએલડીસી દ્વારા કચ્છની હસ્તકળા અને પરંપરાગત લોક સંગીતની જાળવણી માટે સતત પ્રયત્નો થતાં રહે છે ત્યારે તા. ૮ ઓક્ટોબરના સાંજે ૬ વાગ્યાથી શરૂ થનારા ત્રિદિવસીય સંગીત મહોત્સવમાં દરરોજ પ્રથમ ચરણમાં કચ્છી તેમજ રાજસ્થાની લોક સંગીતના સૂર રેલાશે. તો બીજા ચરણમાં જાણીતા કલાકારો દ્વારા સૂફી સંગીત, કંટેમ્પરરી ફ્યૂઝન તેમજ મોર્ડન સંગીત પીરસાશે. પ્રથમ દિવસે રાજસ્થાનના માંગણીયાર પરંપરાના જાણીતા કલાકાર પિરૂખાન અને તેમના લોક કલાકારોના ગ્રુપ દ્વારા રાજસ્થાની લોકસંગીત રજૂ કરવામાં આવશે. બીજા ચરણમાં બોલીવુડ ફિલ્મ સુલ્તાન અને એમેઝોન પર આવેલ સિરીઝ ર્મિજાપુરમાં જેમણે ગીત ગાયા છે તેવા ગાયિકા ઈપષિતા ચક્રવર્તીના ગ્રુપ દ્વારા શ્રોતાઓને મોર્ડન સંગીત પીરસાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈષિતા ચક્રવર્તી ૧૮૦ ટકા સ્પીકર પણ રહી ચૂક્યા છે. બીજા દિવસે કલા વારસો ટ્રસ્ટ ગ્રુપના કલાકારો દ્વારા કચ્છની પરંપરાગત અને સમૃધ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતું લોક સંગીત રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જેમના દ્વારા હિન્દી, તામિલ અને અંગ્રેજી મ્યુઝીક આલ્બમો બહાર પડાયા છે, તેવા “સેડો અને લાઇટ” ના અનિંદો બોઝ અને પવિત્રાચારી નું ગ્રુપ કંટેમ્પરરી ફ્યૂઝનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
આ મ્યુઝીક ફેસ્ટીવલના અંતિમ દિવસે કચ્છના જાણીતા કલાકાર કે જેમણે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ માં ગીત ગાયું છે અને કબીર પ્રોજેક્ટ, માટીબાની તેમજ કોક સ્ટુડિયો માં પ્રસિદ્ધિ પામ્યા છે, તેવા મૂરાલાલા મારવાડા અને તેમનું ગ્રુપ પોતાની આગવી શૈલીમાં કબીર વાણી અને કચ્છી લોક સંગીત રજૂ કરશે. તો બીજા ચરણમાં જાણીતા ગાયક અને ગીત લેખક કે જેઓ હિદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગાંધર્વ મહાવિદ્યાલય, દિલ્હીથી પ્રશિક્ષેત છે એવા હરપ્રીત સિંઘ સૂફી સંગીત રજૂ કરશે. કચ્છના પરંપરાગત લોક સંગીતકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે યોજાનાર આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓ બહોળી સંખ્યામાં જાેડાય તેવી અપીલ છે. આ માટેના ઓનલાઈન પાસ એલએલડીસીની વેબસાઈટ ઃ ુુુ. જરિેદ્ઘટ્ઠહઙ્મઙ્મઙ્ઘષ્ઠ. ર્ખ્તિ પરથી મેળવી શકાય છે.