Home Blog

૧ કરોડની ઠગાઈમાં વોન્ટેડ નખત્રાણાથી ઝડપાયો

0

 

ભુજ : સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકના રૂા. ૧ કરોડની ઠગાઈના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે કચ્છના નખત્રાણા ખાતેથી ઝડપી પાડયો હતો અને તેને સુરત લઈ ગઈ હતી.
સુરત સીટી પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને ડીસીબીની ટીમ દ્વારા ઘણા વર્ષોથી પોલીસ ચોપડે વોન્ટેડ હોય તેવા આરોપીઓને પકડ પાડવામાં આવ્યા છે. દરમ્યાન ડીસીબીની ટીમે કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં આવેલી એક હોટલમાંથી વોન્ટેડ આરોપી મહેશ ઉર્ફે મયુર લક્ષ્મીદાસ મંગે (ભાનુશાલી) (ઉ.વ.૬ર)ને ઝડપી લીધો હતો. સને ર૦૧૩ માં સચિન જીઆઈડીસી વિસ્તારમાં લક્ષ્મી વિલા ટાઉનશીપમાં તેની પત્નિ દક્ષા તથા આશાપુરા એન્ટરપ્રાઈઝ એન્ડ મની લેન્ડર્સના નામે ફાયનાન્સ કંપની ખોલીને લોકો પાસે રૂા. ૧ કરોડ જેટલી રકમનું રોકાણ કરાવીને પછી તે રૂપિયા લઈને બન્ને પતિ – પત્નિ નાસી ગયા હતા. આ બાબતે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં સને ર૦૧૩માં ગુનો નોંધાયો હતો. જાે કે એક વર્ષ અગાઉ તેની પત્નિનું મોત નિપજયું હતું. ગોવા, જુનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ અને મોરબીમાં રહીને અલગ અલગ હોટલમાં નોકરી કરતો રહ્યો હતો. જેને આખરે ઝડપી લેવામાં આવ્યો છે.

જુની સુંદરપુરીમાં દારૂના કટીંગ વખતે ત્રાટકેલી પોલીસે ૧.૬૧ લાખનો દારૂ ઝડપ્યો

0

એક શખ્સ ઝડપાયો, અન્ય બે હાજર ન મળ્યા

 

ગાંધીધામ : અહીં જૂની સુંદરપુરી વિસ્તારમાં દારૂના કટીંગ વખતે ત્રાટકેલી પોલીસે ૧.૬૧ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. જે સાથે આરોપીને ઝડપી લેવામાંં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ પેટ્રોલિંગમાં રહેલી એલસીબીને બાતમી મળી હતી કે, જૂની સુંદરપુરી વિસ્તારમાં અંબે માના મંદિરની બાજુમાં જતી ગલીમાં ગ્રે કલરની સ્વીફટ કાર નંબર જી.જે. ૧ર સીડી ૦પ૭૧ વાળી ઉભી છે. જેમાં દારૂ ભરેલો છે. અને સુંદરપુરી નરશી પાલાસિંચ અને મેહુલ ભીખા પરમાર દારૂ ઉતારે છે. તે બાતમીના આધારે તપાસ કરતાં આરોપીઓ પુઠા બોક્સ ઉતારતા જાેવા મળ્યા હતા. જેમાં પોલીસને જાેઈ અંધારામાં બે જણા ભાગી ગયા, જયારે નરસી પકડાઈ ગયો હતો. ગાડીમાં તપાસ કરતાં ડેની ૩૦, ગ્રીન એપલ વોડકા, ડીસ્ટલેડ, બલેન્ડેડ, બોટલેડ સહિતની અલગ અલગ ૪૬૦ બોટલ કિ.રૂા. ૧ લાખ ૬૧ હજારનો મુદ્દામાલ જાેવા મળ્યો હતો. નાસી જનાર ઈસમો બાબતે પુછપરછ કરતાં મેહુલ ભીખાભાઈ પરમાર ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થળેથી દારૂ સાથે મારૂતિ સ્વીફટ કાર નંબર જી.જે. ૧ર ડીપી ૦પ૭૧ તેમજ એક્ટીવા મળી કુલ ૩.૪૬ લાખનો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છ જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલય ‘કચ્છ કમલમ્‌’નું કાલે ઉદ્દઘાટન

0

વીડી હાઈસ્કૂલ પાસેના કાર્યાલય નાનુ પડતું હોય ગત વર્ષે ૧૪મી મેના સી.આર. પાટીલના હસ્તે નવા કાર્યાલયનું કરાયું હતું ભૂમિપૂજન : આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષના હસ્તે જ આધુનિકતાથી સજ્જ કચ્છ કમલમ્‌ ખુલ્લું મુકાશે

 

 

ભુજ : જિલ્લામાં લોકસભા તેમજ વિધાનસભાની છ એ છ સીટ, તમામ નગરપાલિકા અને ૮ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો કબ્જાે ભાજપ પાસે છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ અને ભાજપના હોદેદારોને બેસવા, મિટિંગ તેમજ લોકોના પ્રશ્નો સાંભળવા સહિતના કાર્યક્રમો માટે ભુજના વી.ડી. હાઈસ્કૂલ પાસે આવેલું કાર્યાલય નાનું પડતું હોય ગત વર્ષે કચ્છ જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું હતું. એક વર્ષના ટૂંકાગાળા કચ્છ કમલમ્‌નું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. જેનું આવતીકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ એવા સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરવામામં આવશે.
ભુજમાં એસવીસીટી પાછળ પ્રમુખ સ્વામી નગર રોડ પર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન આવતીકાલે તા.૫-૬ના સવારે ૯ઃ૩૦ કલાકે રાખવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, ઝોન મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ દેવજીભાઈ વરચંદના હસ્તે કચ્છ કમલમ્‌ ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, અનિરૂદ્ધ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા સહિત તાલુકા પચાયતના અધ્યક્ષો, નગરપાલિકા પ્રમુખો, શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, મંડળ સહિતના કાર્યકર્તાઓ હાજરી આપશે.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે ૧૪મી મેના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કચ્છ કમલમ્‌નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેઓના હસ્તે જ આવતીકાલે કાર્યાલય ખુલ્લું મુકાશે. ૧૪ હજાર ફીટ બાંધાકામ, ૧૩૦૦ વાર જગ્યામાં નવું સંકુલ ઊભું કરાયું છે. નવા કાર્યાલયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો માટે બેસવાની અને લોકોના પ્રશ્નો સાંભળવાની વ્યવસ્થા સાથે કોન્ફરન્સ હોલ, વિશાળ પાર્કિંગ, રપ૦ જણની ક્ષમતાનો મીટિંગ હોલ, પેન્ટ્રી કિચન, બેઝમેન્ટમાં વિશાળ હોલ, કોલ સેન્ટર સહિતની સવલતો છે. જેને કચ્છ કમલમ્‌ નામ આપવામાં આવ્યું છે. દરમિયાન ધારાસભ્ય કેશુભાઈ પટેલના કાર્યાલયનું પણ આવતીકાલે ઉદ્દઘાટન કરવામાં આવશે. એરપોર્ટ રોડ પર રિજન્ટા હોટલની સામે બ્રહ્માંડ સોસાયટીની બાજુમાં પ્રમુખ સ્કવેર ખાતે નવું કાર્યાલય બનાવાયું છે. જે પણ ખુલ્લું મુકાશે.

પ્રદૂષણ અને ઘોંઘાટ વચ્ચે નયનરમ્ય વાતાવરણ સાથે શહેરીજનોને શુધ્ધ પ્રાણવાયુ તથા પ્રકૃતિનો સંગાથ મળે તેવો સરકારનો સ્તુત્ય

0

કિડાણા અને ભુજ ખાતે વન વિભાગ દ્વારા કુલ ૩૧૨૫૦ લીમડાનો

ઉછેર કરી ખાસ શહેરીજનો માટે બે ‘ઓક્સિજન પાર્ક’ નિમાર્ણ કરાયા

છોડ ઘટાદાર થઇ જશે ત્યારે લોકો પરીવાર સાથે આવીને બેસી શકે તે માટે પાર્કમાં વનકુટીર, પક્ષીઓ માટે પાણીના સ્પોટ તથા શહેરીજનો વોક કરી શકે તે માટે વોક-વે પાથ બનાવાશે.

કિડાણા અને ભુજના ફેઝ-૨માં આકાર લેતા ઓક્સિજન વનમાં છોડના ઉછેરમાં સંપૂર્ણરીતે ગટરના પાણીનો થતો ઉપયોગ

      વર્તમાન સમયમાં શહેરોમાં વધતા જતાં વાયુ અને અવાજ પ્રદૂષણના કારણે લોકો અનેક આરોગ્ય વિષયક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. શહેરોમાં સિમેન્ટ અને ક્રોકિંટના ઉભા થતાં ઇમારતોરૂપી જંગલના કારણે શહેરના લોકોને શુધ્ધહવા તથા નજીકના સ્થળે વનની હયાતી એક સ્વપ્ન સમાન બની ચૂકી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને શહેરીજનો પ્રકૃતિની નજીક રહીને મનોરંજન સાથે આરોગ્યને પ્રાપ્ત કરી શકે તેમજ શહેરના આસપાસના વાતાવરણમાં પ્રાણવાયુનું સ્તર સંતુલિત કરી શકાય તે માટે કેમ્પા અર્બન ડેવલોપમેન્ટ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક કિડાણા ખાતે તથા ભુજ શહેર નજીક મોચીરાઇ પાસે કુલ ૩૧૨૫૦ લીમડાનું જતન કરીને બે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે. જે આવનારા ભવિષ્યમાં બંને શહેરો માટે ફેફસાંનું કામ કરશે.આ અંગે સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષકશ્રી એચ.વી. મકવાણાએ જણાવ્યું હતું કે,  શહેરોની આસપાસ હરીયાળી ઓછી થતી જઇ રહી છે. ત્યારે લોકોને મનોરંજન સાથે પ્રકૃતિનો લ્હાવો મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા પ્રયાસ કરાયો છે જે ખૂબ જ સફળ થયો છે. હાલ કચ્છમાં ગાંધીધામ તાલુકાના કિડાણા ખાતે વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ હેકટર વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ્રી મોડેલ અંતર્ગત ૧૮૭૫૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર પ્લોટના કારણે કિડાણા ગામ તથા આજુબાજુના વિસ્તારના પશુપાલકોને ઘાસચારો મળી રહ્યો છે. તેમજ વન્યપ્રાણીઓમાં શિયાળ, નિલગાય તેમજ પશુપક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું છે. શહેરી વિસ્તારના લોકો પ્રકૃતિનો આનંદ લઇ શકે તે માટે વાવેતર પ્લોટમાં વોક-વે, વનકુટીર જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  

        આ સાથે ભુજ શહેર નજીક મોચીરાઇ ખાતે પણ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. જે બે ફેઝમાં તૈયાર થઇ રહ્યો છે. આ અંગે સામાજિક વનીકરણ રેન્જ ભુજ, આર.એફ.ઓ,  આર.જે.દેસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ફેઝ વનમાં ૧૦ એકરમાં ૬૨૫૦ લીમડાનું વાવેતર કરાયું હતું. જે તમામનો સફળ ઉછેર થઇ રહ્યો છે. ફેઝ-૨માં બીજા ૧૦ એકરમાં ૬૨૫૦ લીમડાના વાવેતરનું કામ ચાલી રહ્યું છે. આમ, કુલ ૨૦ એકરમાં ૧૨૫૦૦ લીમડાના વૃક્ષ ભવિષ્યમાં લહેરાઇને કાબર્ન  ડાયોકસાઇડ વાયુશોષીને ઓકિસજન વાયુ આપીને ભુજના ફેફસાનું કામ કરશે.છોડ જયારે ૬ થી ૭ વર્ષના થઇ જશે ત્યારે કિડાણા તથા ભુજ ખાતેના પાર્કમાં વનકુટીર, બાળકો માટે મનોરંજનના સાધનો, લોકો માટે બેસવાની બેન્ચ, વોક કરવા માટે વોક-વે તથા પક્ષીઓ માટે પીવાના પાણીના સ્પોટ તૈયાર કરાશે.તેઓ ઉમેર છે કે, કિડાણા તથા ફેઝ-૨માં તૈયાર થતાં ભુજના પાર્કમાં વેસ્ટ જતાં ગટરના પાણીથી વૃક્ષોનો ઉછેર થઇ રહ્યો છે. આ પાણી આસપાસની  કોલોનીની લાઇનમાંથી મેળવીને કામગીરી કરાઇ રહી છે. આમ એક સાથે બે ફાયદા થઇ રહ્યા છે. પાણીના ઉપયોગ સાથે વૃક્ષોની માવજતમાં નિયમિત પાણી પૂરવઠો મળી રહ્યો છે.માત્ર લીમડાની પસંદગી અંગે તેઓ જણાવે છે કે, લીમડો સ્થાનિક પ્રજાતિનું ઝાડ છે. ઉપરાંત ઔષધિય ગુણ સાથે વાતાવરણની કપરી સ્થિતિ વચ્ચે પણ ટકી રહે છે. સાથે સૌથી વધુ પ્રાણવાયુ પૂરો પાડે છે તેથી ઓક્સિજન પાર્ક માટે ખાસ લીમડાની પસંદગી કરાઇ છે.

કચ્છને હરીયાળું બનાવવા વનવિભાગ દ્વારા ૩૦ લાખથી વધુ રોપા તૈયાર કરાયા

0

તાલુકાકક્ષાએ આવેલી ૧૬ નર્સરીમાંથી રોપા લઇને કચ્છવાસીઓ પાંચ જૂનના વાવેતર કરીને કચ્છી ધરતીને લીલીચાદર ઓઢાડે તેવી અપીલ

આજે આબોહવા અને વાતાવરણમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યા છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી ઉભી થઇ છે. વધતા પ્રદૂષણને કંટ્રોલ કરવા તથા પૃથ્વીપર વૃક્ષોનું આવરણ બનાવી રાખવા આજે વધુમાં વધુ વૃક્ષોના વાવેતરની જરૂરિયાત છે. ગુજરાત સરકાર દ્વારા મોટાપાયે પર્યાવરણના રક્ષણ અને જતન માટે કામગીરી થઇ રહી છે. ત્યારે આ યજ્ઞમાં લોકો મોટાપાયે જોડાઇને વૃક્ષોનું વાવેતર,જતન કરીને પોતાનો સિંહફાળો આપે તે સમયની માંગ છે. સરકાર દ્વારા વાવેતર માટે રોપા મળી રહે તે માટે નર્સરીઓ બનાવવામાં આવી છે. જેમાં કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં હાલ ૧૬ નર્સરી આવેલી છે જેમાં કચ્છની હરીયાળું કરવા આ વર્ષ ૩૨ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવેલો છે.વાતાવરણમાં ઓક્સિજનનો ઘટાડો, પૃથ્વીના તાપમાનમાં વધારો, કાર્બન મોનોકસાઇડ  જેવા વિનાશકારી વાયુઓનું વાતાવરણમાં પ્રમાણ વધવું વગેરે પ્રશ્નો આજે ઉભા થયા છે. ત્યારે આ પરિસ્થિતને પહોંચી વળવા કચ્છ સામાજિક વનીકરણ વિભાગ તાલુકાની વિવિધ નર્સરીઓમાં રોપાઓનો ઉછેર કરવામાં આવે છે. આ અંગે નાયબ વન સંરક્ષકશ્રી એચ.વી.મકવાણાએ જણાવ્યું હતું કે, જેમાં આ વર્ષ ૩૨ લાખ રોપાના ઉછેર સાથે વધુમાં આ વર્ષે ૧.૪૬ લાખ રોપાઓનું વિવિધ યોજનાઓ હેઠળ વાવેતર કરવામાં આવનાર છે.સામાજિક વનીકરણ રેન્જ,ભુજના આરએફઓ, આર.જે.દેસાઇ જણાવ્યું હતું કે, કચ્છમાં ૧૬ નર્સરીમાં રોપાનો ઉછેર થાય છે. જેમાં લીમડા, વડ, પીપળા, કરંજ, જાંબુ, ખાખરો, દાડમ, ગુલમહોર, સરૂ, બોગનવેલ, તુલસી સહિત અનેક પ્રકારના ઔષધિય તથા અન્ય છોડનો સમાવેશ થાય છે. જે રાહતદરે માત્ર રૂ.૨ થી ૧૫માં વેચાણ કરવામાં આવે છે. જેમાં શાળા,સરકારી સંસ્થાનો સહીત અનેક સ્થળે નિ:શુલ્ક રોપાઓ આપવામાં આવતા હોય છે. આ નર્સરીઓમાંથી ભુજ રેન્જમાં સુખપર કોડકી રોડ પાસે મોચીરાઇ નર્સરી આવેલી છે. જેમાં ૧૪ થી ૧૫ પ્રકારના વૃક્ષોના ૪ લાખ જેટલા રોપાઓનો આ વર્ષ ઉછેર કરાયો છે. ભુજ તાલુકામાં વધુમાં વધુમાં લોકો ૫ જૂનના પોતાના આસપાસના વિસ્તારમાં અહીંથી રોપાઓ લઇને વાવેતર કરે તેવી તેમણે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા તમામ નર્સરીમાં જે રોપ ઉછેરાયા છે તેના વાવેતરમાં લોકો સહયોગ આપે તો એક જ દિવસમાં કચ્છમાં ૩૦ લાખથી વધુના રોપાઓનું વાવેતર શકય છે.

 ૫ જૂનના સાથે આખું વર્ષ લોકો વૃક્ષોનું વાવેતર કરી શકે તે માટે બારેમાસ નર્સરીઓમાંથી રોપાનું વેચાણ ચાલું હોય છે. જો તાલુકામાં આવેલી નર્સરીઓની વિગતો જોઇએ તો, ૧૬ નર્સરીનો સમાવેશ થાય છે.

રેન્જ         નર્સરીનું નામ             સરનામું

ભુજ            મોચીરાઇ નર્સરી       સુખપર કોડકી રોડ

મુંદરા          સાડાઉ                 સાડાઉ પ્રાથમિક શાળાની બાજૂમાં

મુંદરા          મુંદરા                  ખારેક ઉછેર કેન્દ્રની સામે

નલિયા         ભવાનીપર નર્સરી     ભવાનીપર થી બેરાચીયાર રોડ પર

નલિયા         ભેદી નર્સરી            ભેદી-વાંકુ રોડ સાઇડ

માંડવી         ધુણઇ                  માંડવી-ભુજ હાઇવે, ધુણઇ બસ સ્ટેન્ડ

માંડવી         શીરવા                 માંડવી-નલીયા હાઇવે

દયાપર        દયાપર નર્સરી         દયાપર-દોલતપર રોડની જમણી બાજુ

દયાપર         કૈયારી નર્સરી          નારાયણ સરોવર રોડ

અંજાર         પ્રભુકૃપા નર્સરી અંજાર નવી શાકમાર્કેટ પાછળ

અંજાર         સાપેડા નર્સરી          અંઝાર-ભુજ રોડ હનુમાનજી મંદિર પાસે

ભચાઉ         નવાગામ નર્સરી       ભચાઉ-દૂધઇ રોડ, યુરો કંપની સામે

રાપર          રાપર નર્સરી           રાપર -નીલપર રોડ, રાપર આઇટીઆઇની બાજૂમાં

રાપર          નિલપર નર્સરી         રાપર ચિત્રોડ રોડ, નિલપર પાટીયાની બાજુમાં

નખત્રાણા      મથલ નર્સરી           મથલ

નખત્રાણા      સાયરા નર્સરી          સાયરા

સામખિયાળી હાઈવે પરથી 45.70 લાખનો દારૂ પકડાયો

0

સ્ટેટ મોનિટરિંગ સેલનો સફળ દરોડો : મહારાષ્ટ્રના બે આરોપી સાથે 56.05 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે : દારૂ મંગાવનાર રાપર તાલુકાના બૂટલેગરોને ધરપકડ માટે ચક્રોગતિમાન

ગાંધીધામ : કચ્છના પ્રવેશદ્વારા એવા સામખિયાળી હાઈવે પર એસએમસીએ 45 લાખથી વધુનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. સામખિયાળી હાઈવે પર આવેલી નવજીવન હોટલની પાર્કિગમાં ઉભેલી એક ગાડીમાંથી ભારતીય બનવાટનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. એસએમસીએ પાડેલા સફળ દરોડામાં 40 હજારથી વધુ દારૂની બોટલ અને ટીન મળી આવ્યા હતા. આરોપીઓ કોલસાની આડમાં દારૂને સગેવગે કરવાની પેરવીમાં હતા. તેવામાં જ એસએમસીની ટીમે તેમના મનસુબા પર પાણી ફેરવી દીધુ હતું. એસએમસીએ મહારાષ્ટ્રના બામનોલીના અનિલ તારડે અને રામચંદ્ર તારડેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ કેસમાં અન્ય ચાર આરોપી દારૂ મોકલનાર રામ નામના આરોપી, દારૂ મંગાવનાર હરિસિહ જોરૂભા વાઘેલા (રહે કિડિયાનગર- રાપર), હેતુભા જોરૂભા વાઘેલા (રહે કિડિયાનગર- રાપર) અને વાસુદેવસિંહ અજીતસિંહ જાડેજા (રહે ગાગોદર- તા. રાપર)ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. એસએમસીએ દારૂનો જથ્થો અને આરોપીઓને સામખિયાળી પોલીસ સ્ટેશનના હવાલે કર્યા હતા. આરોપીઓ પાસેથી 45 લાખ 70 હજારનો દારૂ, 28 હજારના કોલસાના 280 કટ્ટા, 10 લાખની કિમતની ટ્રક નંબર એમ.એચ. 11 એએલ 3714 તેમજ 2 હજાર રોકડા અને 5500નો બે મોબાઈલ સહિત 56 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસએમસીના પીએસઆઈ એ.વી. પટેલના નેતૃત્વમાં સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીની ટીમે કચ્છમાં દારૂ ઘુસાડવાનો વધુ એક કારસો નાકામ કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. હાલે કાળજાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે. અને નજીકના દિવસોમાં કોઈ મોટો તહેવાર પણ ન હોવા છતાં દારૂનો મોટો જથ્થો કચ્છના બૂટલેગરોએ મંગવાયો હોવાથી કચ્છમાં દારૂનું દુષણ કેટલી હદે વ્યાપક બન્યું છે. તેની ચર્ચાઓ શરૂ થઈ છે. સામાન્ય રીતે મોટા તહેવારના દિવસોમાં દારૂની મોટી ખેપો પકડાતી હોય છે. તેવામાં એસએમસીના આ દરોડાથી કચ્છમાં બારેમાસ દારૂની રેલમછેલ ચાલતી હોવાની ચર્ચાને યથાર્થ ઠેરવી છે.

ગાંધીધામમાં ૧ કરોડની લૂંટ કરનારા ભેજાબાજાે બાવળોની ઝાડીમાં ફેંકેલા હેલ્મેટથી ઝડપાયા

0

બોર્ડર રેન્જના આઈજી જે.આર. મોથાલિયાએ પત્રકાર પરિષદમાં ક્રાઈમ ડીટેકશનની વિગતો કરી રજૂ : લૂંટ કરીને બાઈકો દફનાવી દેવાઈ, રોકડા રૂપિયા પેટી પલંગમાં ભરીને પાર્સલ લખનૌ મોકલાયું : મીઠીરોહરના શખ્સ સહિત ૬ ઝડપાયા, અન્ય ૬ ઈસમોના નામ ખુલ્યાં : રાત – દિવસની મહેનત બાદ પૂર્વ કચ્છ પોલીસ આખરે મળી સફળતા

ગાંધીધામ : શહેરમાં આવેલ આંગડિયા પેઢીમાં સંચાલકોને બંદુક બતાવી ૪ ઈસમો ૧ કરોડ પ લાખની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. કચ્છના ઈતિહાસની સૌથી મોટી આંગડિયા લૂંટ કેસમાં ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં કુલ ૬ શખ્સોને ઉઠાવીને ૯૬.૯૦ લાખ રોકડા તેમજ વાહનો સહિત ૧.૦૭ કરોડનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.
આઈજી જે.આર. મોથાલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રરમી મેના પી.એમ. એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાં ૪ હેલ્મેટધારી શખ્સો ઘુસી આવ્યા હતા. અને પિસ્તોલ રાખીને આંગડિયા પેઢીના સંચાલકોને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા ૧ કરોડ પ લાખની લૂંટ કરીને બે બાઈક પર નાસી ગયા હતા. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. જે ગુનાનો ભેદ ઉકેલવા માટે એસપી મહેન્દ્ર બગડિયાની આગેવાનીમાં અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ એમ.એમ. જાડેજા, ગાંધીધામ એ ડીવીઝન પીઆઈ સી.ટી. દેસાઈ, બી ડિવિઝન પોલીસ, કંટ્રોલરૂમ (નેત્રમ) સહિત પોલીસ કર્મચારીઓની ૧૦ ટીમો બનાવી હતી. જેથી સીસીટીવી ફૂટેજના આધારે જે રસ્તે આવ્યા હતા, કયાં રસ્તે ગયા હતા તે અંગે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવીના આધારે લૂંટના ગુનાને શોધવા પ્રયત્ન કર્યા હતા. તે દરમ્યાન શિવમ પ્લાય નામની કંપનીથી આગળ બાવળોની ઝાડીમાંથી બે હેલ્મેટો મળી આવ્યા હતા, જેથી તે દિશામાં તપાસ કરાઈ હતી. આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે ઉજજવલ પાલ (પડાણા)ની સંડોવણી હોવાનું જણાઈ આવતા તપાસ કરતા આરોપીની ધરપકડ કરાઈ હતી. અને આરોપી પુછપરછ કરતાં તેની સાથે અન્ય આરોપીઓ યોગેન્દ્ર ઉર્ફે યોગી, મુકેશસિંગ ઉર્ફે બીપી, શિવમ યાદવ બહારના રાજ્યમાં નાસી ગયા હતા. જેથી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પૈકી યોગેન્દ્ર ઉર્ફે યોગીને બેંગ્લોર, મુકેશસિંગને લખનઉ અને હનીફ સોઢાને અજમેર થી પકડી પાડ્યો હતો. તેમજ વિપુલ બગડા, હનીફ લુહારને સ્થાનિક ટીમો દ્વારા ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી ૯૬ લાખ ૯૦ હજાર ૩૦ રૂપિયા રોકડા, ઈન્ડિગો કાર, ઈન્ડિકા કાર, બોલેરો ડાલુ, મોટર સાઈકલ-૨ સહિતના વાહનો કિમત રૂપિયા ૯ લાખ, ૧ લાખ ૨૫ હજારની હાથ બનાવટની પિસ્ટલ -પ અને ૪૭ જીવીત કાર્ટીશ કબ્જે કરાયા હતા. તેમજ ૨૫ હજાર ૫૦૦ની કિમતના ૬ મોબાઈલ મળીને કુલ ૧ કરોડ ૭ લાખ ૪૫ હજાર ૨૩૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એમ.એમ. જાડેજા, એલસીબીના પીઆઈ સી.ટી. દેસાઈ, એ ડિવિઝન પીએસઆઈ એસ.એસ. વરૂ, વી.આર. પટેલ, એલસીબીના પીએસઆઈ જે.જી. રાજ, નેત્રમના પીએસઆઈ એમ.વી. જાડેજા, એ ડિવિઝન પીએસઆઈ ડી.કે. બ્રહ્મભટ્ટ, પેરોલફર્લો સ્કવોર્ડ, એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝનનો સ્ટાફ જાેડાયો હતો.

પકડાયેલા આરોપીઓ

• ઉજજવલ અમરેન્દ્ર પાલ (ઉત્તરપ્રદેશ) • હનીફ ઈસ્માઈલ સોઢા (મીઠીરોહર) • યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન શ્યામલાલ ચૌહાણ (યુપી) • મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ (પડાણા) • વિપુલ બગડા રામદી ગગડા (મીઠીરોહર) • હનીફ સીધીક લુહાર (મેઘપર બોરીચી)

પકડવાના બાકી તેવા આરોપીઓ

• નઈમખાન ઉર્ફે સુદુ (ઉત્તરપ્રદેશ) • શિવમ સુભાષ યાદવ (અકબરપુર) • આલોક રામપ્રસાદ ચૌહાણ (પડાણા) • અરૂણ પ્રેમકુમાર ચૌહાણ (પડાણા) • જુણસ ઈસ્માઈલ સોઢા (મીઠીરોહર) • દીપક રામભવન રાજભર (યુપી)

મુખ્ય સુત્રધાર ઉજજવલ પાલે આ રીતે સમગ્ર આયોજન ઘડ્યું

ઉજજવલ પાલની તિરૂપતિ ડોર નામની ફેકટરી પડાણા સીમમાં આવેલી હોઈ અન્ય આરોપી વિપુલ અને યોગેન્દ્ર સાથે સેંધવા મધ્યપ્રદેશ ખાતે એક મહિના પહેલા હનીફ લુહારની કારથી જઈ પિસ્તોલ ખરીદી હતી. અને યોગેન્દ્ર ચૌહાણ, હનીફ સોઢા સાથે મળી લૂંટનું પ્લાનિંગ અને રેકી કરાઈ હતી. ઓળખ છતી ન થાય તે માટે નવા હેલ્મેટની ખરીદી કરી, વિપુલ બગડા, યોગેન્દ્ર ચૌહાણ અને હનીફ સોઢા લૂંટ કરવા જતા આવતા રસ્તે રેકી કરતા અને લૂંટ કરવા માટે મુકેશસિંહ તેમજ શિવમ યાદવને બોલાવી ફેકટરીમાં આશરો આપ્યો હતો. હનીફ સોઢાને લૂંટ કરવા માટે બે બાઈકો આપી અને લૂંટ બાદ બાઈકોને જમીનમાં દાટી દઈ આરોપીને લઈ જવા દિનેશ ઠાકોરની બોલેરો ભાડે રાખી હતી. હનીફ સોઢાના ચુડવા સીમમાં આવેલા પ્લોટમાં બાઈકો દાટી દેવાઈ હતી. રોકડા પૈકી ઉજજવલે પોતાની પાસે ૩.૭પ લાખ રાખ્યા અને વિપુલને પ લાખ હનીફને અઢી લાખ, આલોકને પ૦ હજાર, શિવમને પ૦ હજાર, મુકેશને ૧૦ હજાર આપ્યા અને નવો સેટી પલંગ ખરીદી બાકીના ૮૯ લાખના અલગ અલગ પાર્સલ બનાવી સેટી પલંગમાં નાખીને સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટમાં લખનૌ મોકલ્યા હતા. શિવમને ગાંધીધામ સ્ટેશને મુકી યોગેન્દ્રને સામખિયાળી સ્ટેશને મુકી ભગાડી દઈ લૂંટનો આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો. લૂંટ બાદ હનીફ સોઢા આરોપી મુકેશસિંગને ભચાઉ – જાખડ બસમાં બેસાડી આવ્યો હતો., યોગેન્દ્રએ લૂંટ કર્યા બાદ પોતે પહેરેલા જાકીટ અને હેલ્મેટ સળગાવી નાખ્યા હતા. વિપુલ હથિયાર ખરીદવા માટે ગયો હતો અને મુકેશ પ્લાનિગ પ્રમાણે લૂંટ કરવા આવ્યો હતો. હનીફે તમામ આરોપીઓની મદદગારી કરી હતી.

ઓગસ્ટમાં લૂંટ કરવાનો પ્લાન નિષ્ફળ ગયો

આરોપી ઉજજવલ, યોગેન્દ્ર અને દીપકે ગત વર્ષે ઓગષ્ટમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. દીપક યુપીથી હથિયાર પણ લઈ આવ્યો હતો. પણ અજમેર રેલવે સ્ટેશને હથિયાર સાથે પકડાઈ જતાં પ્લાન નિષ્ફળ રહ્યો હતો. ઉજજવલ, હનીફ અને યોગેન્દ્ર સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.

પ્રેસની આડમા હજુ કેટલા બેનામી ધંધા? અંજાર ના.કલેકટર કરે લાલઆંખ..!

કચ્છમા પણ પ્રેસના નામે ત્રાગા, બેનામી ધંધાઓ કરનારા ફાટીને ગયા છે ફુલેકે : પ્રેસ લખવુ જ હેાય તો જે-તે અખબાર કે મીડીયાએ ખુદની ચેનલ-અખબારનુ નામ સાથે લખવાના નિયમની થવી જાેઈએ કડક રાહે અમલવારી : અંજાર નાયબ કલેકટર આવા ઉઠાવગીર બની બેેઠેલા પ્રેસવાળાઓ પર બોલાવે ધોંષ : એકાદ-બે કેસમા સજારૂપ ધાક બેસાડતો દાખલો પુરવાર કરે તો કઈક બોગસ પત્રકારોની દુકાનો બંધ થાય, અને પ્રેસના ઓથા તળે ચાલતા ખોટા ધંધાઓ પર પણ આવી જાય બ્રેક : નહી તો પ્રેસ લખી અને ડ્રગ્સ-દારૂની હેરફેર અને લુંટ જેવી ઘટનાઓને પણ હવે તો અપાઈ રહ્યા છે અંજામ

 

૧ કરોડની આંગડીયા લુંટમાં પણ ઝડપાયેલા વાહન પર પ્રેસનુ ટેગ દેખાય છે કલીયર?

ગાંધીધામ : કચ્છમાંપ્રેસના ઓથા તળે બનાવટી અને બાગસ બની બેઠેલા ઠગભગત પત્રકાર તત્વોના કાળા કારનામાઓ સદાય ચર્ચામા આવતા જ રહે છે. દરમયાન જ ગાંધીધામની આંગડીયા લુંટનો જે ભેદ ઉકેલાયો છે તેમા વાહનો રીકવર કરાયા છે તેમાથી પણ એક સફેદ કલરની કારમા પ્રેસ લખેલુ સ્પષટ જાેવા મળી આવે છે. હવે વિચાર કરો કે, પ્રેસ લખનારાઓ એક કરોડની આગડીયા લુંટમા પણ ભાગીદાર બની રહ્યા છે? ખરેખર આવા બેનામ ધંધાઓ પ્રેસની આડમા સદાય ચર્ચાનુ કારણ બનતા રહે છે. કચ્છમા પણ પૂર્વથી લઈ અને પશ્ચીમ સુધીમા આવા પ્રેસના ટેગ મારી અને ખોટા ધંધાઓને અંજામ આપનારા ફાટીને ફુલેકે ગયા છે? બેરોકટોક કયારે પ્રેસ લખી અને બોગસ તત્વો દારૂની તો કયારેક ડ્રગ્સન હેરફેરોને પણ અંજામ આપી જ દેતા હોય છે. આવા તત્વોને ખબર છે કે પ્રેસ લખની ફરશે તો તેમને કોઈ અટકાવશે નહી? કોઈ પણ પ્રકારના ચેકીગ કરવામા આવશે નહી? હવે તો આંગડીયા લુટમા પ્રેસનો દુરઉપયોગ થતો જાેવાઈ રહ્યો છે. ખરેખર કચ્છમા આ અંગે અંજારના નાયબ કલેકટર શ્રી દેસાઈએ ગંભીર થવાની જરૂર છે. પ્રેસની આડમાં
જે કોઈ પણ ખોટા ધંધાઓને ધમધમાવી રહ્યા છે તેના ક્રોસ ચકાસણીના આદેશ આપવા જાેઈએ. વાહનો પર માત્ર પ્રેસ લખવાના બદલે જે તે ચેલન કે અખબારનુ સાથે નામ દર્શાવવાનો નિયમ અમલી બનાવવો જાેઈએ. એટલે બોગસ અને બની બેઠલા તત્વો પર આપોઆપ જ બ્રેક આવી જશે. નિયમ અનુસાર પ્રેસ લખવુ કે પ્રેસનુ માન્ય કાર્ડ ધરાવવા માટે સરકાર તરફથી કડક ગાઈડલાઈન જાેહર કરવામા આવી છે. અખબાર હાય તો તેની હાર્ટકોપી પ્રસિદ્ધ થતી હોવી જાેઈએ અને સરકારી તંત્રોમાં તે જમા કરાવવાની હોય છે, પૂર્વ કચછ જ નહી પરુત આખાય કચ્છમા માન્ય અખબાર માત્ર બેથી ચાર જ નીકળી રહ્યા છે, બાકીના સોશ્યલ મીડીયામાં પોતાના મનગડત જ્ઞાનને આડેધડ પીરસતા ફરતા હોય છે અને પ્રેસ લખાવી ફરતા હોય છે તો
વળી કેટલાક તો પ્રેસ ગાડીઓ-વાહનો પર ખોટા ધંધાઓ માટે જ લખાવતા ફરી રહ્યા છે. આવા તત્વોના લીધે સાચા પ્રેસવાળાઓની સાંખને પણ નુકસાન પહાચી રહયુ છે ત્યારે ખરેખર બની બેઠલા બોગસ ઠગભગતોના આ પ્રેસના ઓથા તળે ચાલતા કૃત્યોને ડામવાની દીશામા કચ્છનુ પ્રસશાન-તંત્ર કડકાઈથી આગળ આવે તે આ લુંટની ઘટના બાદ વધુ એક વખત ટકોરરૂપ બની રહયુ છે.

ગાંધીધામના ઝંડાચોક પાસે નવજાત બાળકને ત્યજી દેવાયું

0

બાળકને સારવાર માટે એ ડિવિઝન પોલીસ હોસ્પિટલમાં ખસેડી ગઈ

ગાંધીધામ : શહેરના ઝંંડાચોક પાસે સમાજવાડીની સામે આજે બપોરે કોઈ વ્યક્તિ નવજાત બાળકને ત્યજી પલાયન થઈ જતાં અહીંથી પસાર થતાં જાગૃત નાગરિકની નજર ગઈ હતી. જેણે એ ડિવિઝન પોલીસમાં જાણ કરતાં પોલીસ ટુકડી સ્થળ પર પહોંચી છે. અને નવજાતની સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં લઈ ગયા છે.
પ્રાથમિક માહિતી મુજબ બાળક એકલું જાેવા મળતાં જાગૃત નાગરિકે પોલીસમાં જાણ કરી હતી. આ લખાય છે ત્યારે પોલીસે બાળકની સારવારને પ્રાથમિકતા આપી હોઈ તે કોણ છે, કોણ મુકી ગયું તે સહિતની વિગતો જાણી શકાઈ નથી. કેમેરા ચકાસવા બાબતે પણ ભાર મુકાયો હોવાનું જાણવા મળ્યું છે. ધમધમતા વિસ્તારમાં કોઈ બાળક ત્યજીને ચાલ્યું જતાં ચકચાર પ્રસરી હતી.