Home Blog Page 352

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનુ ઔદ્યોગિક અને ડિજીટલ વિકાસની રાહ પર અગ્રેસર થવા આહવાન

0

કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે ૧૭૫ એકરના વિશાળ પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ  મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન : મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે પોર્ટ બિઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ ટેકનોલોજીના ફીફથ જનરેશન(5G)નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો અને આજે કચ્છ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ ઉદઘાટન થયું, તે ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર થવા આહવાન કર્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તાર એવા કચ્છના વિકાસ માટે રાજ્ય સરકારના શક્ય તમામ સહકારની ખાતરી ઉચ્ચારી હતી. અને ઉદ્યોગકારોને કચ્છ ખાતે આજે શરૂ થયેલા પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ સ્થળે આવતાં પહેલાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કિરણ ગૃપ અને અંબાજી ગૃપ દ્વારા કંડલા- મુન્દ્રા હાઈવે પર કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ગામ નજીક નિર્માણ થનારા પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનુ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતું. તથા સભાસ્થળેથી બિઝપાર્કના ભવનનું ભૂમિપૂજન તથા વૃક્ષારોપણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય આમંત્રિતોનુ શાલ, સ્મૃતિચિહ્ન તથા  પુષ્પગૂચ્છથી સ્વાગત કરાયું હતું. પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય, સંસદસભ્યશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યોશ્રી વાસણભાઈ આહિર અને શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણીશ્રી કેશુભાઈ પટેલ અને દિલીપભાઇ ત્રિવેદી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સર્વશ્રી દિનેશ ગુપ્તા, મહેશ પુન્જ, નીરજ બંસલ, તેમજ યુવા, અનુભવી તથા મહિલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે વેલસ્પનના સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

0

ભૂકંપ બાદ કચ્છમાં થયેલ ઓદ્યોગિકરણ થકી સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

કચ્છની ઐતિહાસિક ધરતી પર ઔદ્યોગિક ક્રાંતિના દર્શન કરવા આવ્યો છું– જલ શકિત મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજરોજ તારીખ ૧લી ઓકટોબરના રોજ કચ્છની મુલાકાતે છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તથા કેન્દ્રિય જલ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતમાં અંજાર સ્થિત વેલ્સપન કંપનીના ૨૯૦ કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ડિજીટલ યુગમાં ભારતનું યોગદાન મહત્વનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે ગ્રોથ એન્જિન બન્યું છે. કચ્છના વિકાસમાં સહભાગી બનેલું વેલસ્પન ગૃપ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.વધુમાં જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ કચ્છમાં થયેલ ઓદ્યોગિકરણ થકી સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. જેમાં વેલસ્પન ગૃપે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.આ પ્રસંગે કેન્દ્રિય જલ શક્તિ મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, હું કચ્છની ઐતિહાસિક ધરતી પર ઔદ્યોગિક  ક્રાંતિના દર્શન કરવા આવ્યો છું. પ્રકૃતિની માર પછી કચ્છની કાયાપલટ કરવાનું જે સ્વપ્ન હતું તે ખરેખર સાર્થક બન્યું છે. કચ્છ આજે ઊર્જાના નિર્માણ માટે સમગ્ર વિશ્વ માટે એ.પી.સેન્ટર બની રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે આવનારી સદી હવે ભારતની હશે. વિશ્વના અન્ય દેશ હવે ભારતમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે છેવાડાના વિસ્તારોને યાતના માંથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છોડાવ્યા છે.આ તકે મુખ્યમંત્રીશ્રીએ વેલસ્પન ટેકસ્ટાઈલ પ્લાન્ટ સહિત વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ તકે, વેલસ્પન ગૃપના ચેરમનેશ્રી બાલકિશન ગોયંકા, મેનેજિંગ ડિરેકટરશ્રી રાજેશ મંડાલેવાલા તથા રાહુલ યેનુનકર સહિતનાઓએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સાથે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, પૂર્વ મંત્રી તથા અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ વગેરે જોડાયા હતા.

ભૂકંપમાંથી બેઠું થયેલું કચ્છ ગુજરાત રાજ્યનું ગ્રોથ એન્જિન બન્યું છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

0

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિર્મિત ન્યુ એનેક્ષી ભવનનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ઉદ્યોગોની વિકાસ પરંપરાને આગળ ધપાવવા ઉદ્યોગકારોને સહયોગ આપવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો

ઉદ્યોગકારોની કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની મુખ્યમંત્રીશ્રીની ખાતરી

કચ્છનો મિજાજ જ કંઈ ઓર છે, ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય કે અન્ય કોઈપણ પરિસ્થિતિ હોય કચ્છ મજબૂત બનીને  ઉભર્યું છે. આજે કચ્છ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ન્યુ એનેક્ષી ભવનનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કરતી વેળાએ જણાવ્યું હતું.કચ્છ ભારતનો અને ગુજરાતનો વિશાળ જિલ્લો હોવાને કારણે તથા વ્યાપારની અપાર સંભાવનાઓને લક્ષમાં રાખી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે યોજાયેલા ભવનના લોકાર્પણ કાર્યક્રમ અવસરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને રાજ્યના દરેક વિસ્તારમાં ઉદ્યોગો લાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે. જેના મીઠા ફળરૂપે રાજ્ય અને કચ્છમાં પણ મોટા પાયે ઔદ્યોગિકરણ થયું છે અને હજુ પણ ઔદ્યોગિકરણની વિકાસ પરંપરા આગળ વધારવા માટે  ગુજરાત સરકાર કટીબધ્ધ છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ગ્લોબલ બનાવ્યું છે, જેના કારણે આજે ઉદ્યોગો સામેથી ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં ઉદ્યોગકારોને તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે 5G નું લોકાર્પણ થવાનું છે ત્યારે ડિજિટલ ઇન્ડિયાને ખરા અર્થમાં વેગ મળશે. હેલ્થ સેક્ટર, ઉદ્યોગ સેક્ટર સહિતના તમામ સેક્ટરમાં 5G ના કારણે ફાયદો થશે.  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી ડિજિટલ ઇન્ડિયા, મેકઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે અભિયાન શરૂ કર્યા ત્યારે તે કેમ પાર પડશે તે સૌને સવાલ હતો. પરંતુ વડાપ્રધાનશ્રીના સામાન્ય માણસ પર રહેલા ભરોસોના કારણે આજે આ અભિયાન સાર્થક થયા છે. આજે દરેક નાનામાં નાના વ્યક્તિ પાસે પણ મોબાઈલ ફોન છે અને તે પોતાના નાણાંકીય વ્યવહાર આજે ઓનલાઇન તેમજ યુપીઆઈ દ્વારા કરી રહ્યો છે જે દર્શાવે છે કે દેશ બદલ રહા હૈ અને આપણે પોતે પણ સમય સાથે બદલાઈ રહ્યા છીએ અને વિશ્વ સાથે કદમ થી કદમ મિલાવી રહ્યા છીએ. સરકારના સ્વચ્છતા અભિયાને પણ સમગ્ર દેશની સકલ બદલી નાખી છે આજે સામાન્ય વ્યક્તિ પણ કોઈપણ જાતનો કચરો રોડ ઉપર નાખતા પહેલા એક વખત વિચાર જરૂર કરે છે.  આમ સમગ્ર દેશના વિકાસમાં દરેકે દરેક નાગરિકનો સિંહ ફાળો છે.મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગપતિઓ અને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે રાજ્યના  ઇતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે જે લોકોની સુખાકારીમાં મદદરૂપ બન્યું છે. નીતિ આયોગ મુજબ આજે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં નંબર વન છે. આમ વધુને વધુ ગ્રોથ સાથે રાજ્ય આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં ઉદ્યોગપતિઓ પણ પોતાનો સહયોગ આપણે આપે તેવી તેમણે ઉદ્યોગકારોને અપીલ કરી હતી. આ સાથે જ તેમણે વેપાર અને વાણિજ્ય  ક્ષેત્રમાં ઉદ્યોગકારોને કોઈપણ જાતની સમસ્યા ન થાય તે માટે સરકાર કટિબધ છે.  આ ક્ષેત્રના કોઈપણ પ્રશ્નો હશે તો સરકાર તેને દૂર કરવા માટે કામગીરી કરશે એવી ખાતરી પણ ઉપસ્થિત ઉદ્યોગકારોને મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.આજના કાર્યક્રમમાં કચ્છના સૉલ્ટ, ટિમ્બર, ટ્રાન્સપોર્ટ, શિપિંગ સહિત અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો અને હારારોપણ કરીને ઉદ્યોગકારો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.આજના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતા બેન ટીલવાણી, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર વિસ્તારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહીર, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, આગેવાનશ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, આગેવાનશ્રીઓ ચંપાલાલ પારેખ, બચુભાઈ આહીર, અરજણભાઈ કાનગડ, મોહન ધારશી, પારસમલ નાટા, નંદલાલ ગોહિલ, મહેશ તીરથાણી, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકા ચેરમેન પુનિત દુધરેજીયા, મોમાયાભાઈ ગઢવી સહિતના હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું કંડલા એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરાયું

0

કચ્છની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કંડલા એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીશ્રીનું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી વાસણભાઇ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી ઇલવંતીબેન પ્રજાપતિ, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ એસ.પી.શ્રી મહેન્દ્ર બગડિયા વગેરે દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેલચોર ભરતના અડ્ડા પર સપાટો બોલાવનાર અંંજાર PI સિસોદીયાની ટીમને શાબાશ છે..!

0

  • IGશ્રી-પૂર્વ કચ્છ SPશ્રીએ શ્રી સિસોદીયાની પીઠ થબથબાવી જોઈએ

અગાઉ કેટલીય વખત ભરતના અડ્ડાઓ પર રેડ પડી, સીઆઈડી ક્રાઈમની ટીમ ત્રાટકી ગઈ,છતાં પણ સીલ કરેલા જ્થથા માલ ભરત આણી ટોળકીના અડ્ડા પરથી બેખોફીથી વેંચાતો રહ્યો, પરંતુ હવે ફરીથી અંજાર પોલીસે દરોડો પાડીને કરી દેખાડી છે હિમંતભરી કાર્યવાહી

હવે અંજાર પોલીસ આ ભરત આણી ગેંગની સામે અંતિમ તબક્કા સુધીની કરે ઝીણવટભરી તપાસ : ભરત આહિરને છાવરે છે કોણ? કયા ઝભ્ભાલેંગાધારી ભરત જેવાઓના તેલચોરીના ધંધાઓને શેહ આપી રહ્યા છે? પોલીસતંત્રએ આવા તત્વો-રાજકારણીઓના ગુપ્ત રીપોર્ટ કરવા જોઈએ.., જો અંજાર પોલીસ આવા ગુપ્ત અહેવાલો કરી દેખાડે તો આગામી સમયમાં ભરત જેવા તેલચોરને છાવરનારા રાજકારણીઓની ટિકિટ થઈ જાય ફાઈનલ..!

આ ભરત એટલો લાગવગ વાળો છે કે, તેની ધરપકડ પણ થતી નથી, અને સમ ખાવા પુરતી ધરપકડ થાય તો આ ભરતને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાય છે, આ ભરત પર પાસા-કે હદપાર જેવા પગલા કેમ લેવામાં નથી આવતા? આ તો ભલુ થજો અંજારના પીઆઈશ્રી સિસોદીયાનું કે, રેડ તો કરી દેખાડી, આવા તત્વોના કારણે ટ્રાન્સપોર્ટરની હાલત બહુ કફોડી થઈ જતી હતી

ગાંધીધામ : શાબાશ છે ટીમ અંજાર પીઆઈને..! તાજેતરમાં જ તેઓની ટીમ દ્વારા પૂર્વ કચ્છનો કુખ્યાત અને ફાટીને ધુમાડે ગયેલ ભરત આહીર નામના તેલચોરના વરસાણા ચોકડી પાસે આવેલા અડ્ડા પર તવાઈ બોલાવી દીધી છે. અહીથી મુદામાલ પકડયો છે. હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી તેલચોરી, તેનો ગેરકાયદેસર ખુલ્લેઆમ સંગ્રહ કરી અને તેલચોરીનો વ્યાપક નેટવર્ક લાંબા સમયથી ચલાવતા ભરત આહિર નામના શખ્સ લાંબા સમયથી બેરોકટોક રીતે આવા બેનંબરી ધંધાને ધમધમાવતો ફરતો હતો અને પેાલીસને પણ જાણે કે, રીસતરનો પડકાર જ ફેકતો હોય તેવો તાલ થવા પામતો હતો આવામાં હવે અંજાર પોલીસના શ્રી સિસોદીયાની ટીમે વરસાણા ચોકડી પાસે ભરતના અડ્ડા પર ત્રાટકીને આ તેલચોરીની બકરી ડબ્બામાં ને પુછડી બહારનો જ તાલ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે તેમ કેહવુ વધારે પડતુ નહી કહેવાય.આ ભરત આહીર વરસાણા સહિતના પટ્ટામાં તેલચોરીના હબ બનાવીને બેઠો હતો. લાંબા સમયથી ભરત નામનો શખ્સ ટેન્કરોમાથી ડ્રાયવર-કલીનરને કયાંક લલચાવી ફોસલાવીને તો કયાંક ડરાવી-ધમકાવીને ભારે મોટા પ્રમાણમાં તેલચોરી કરી રહ્યો છે. અગાઉ પણ તેનુ નામ અને વરસાણા પટ્ટો તેલચોરીમાં ચકચારી રહ્યો છે. આ ભરતની સામે ચકાસણી થશે તો ભુતકાળમાં પણ તે આવા કારનામાઓ આચરવા બદલ પોલીસ ચોપડે મળી જ જવા પામશે. એટલુ જ નહી પણ ભરતનો જે માલ સીલ કરેલો હોય તેમાથી પણ તે ચોરી કરતો હોવાના ઘટનાક્રમો બહાર આવશે, સ્થાનિક પોલીસ તો ખરી જ પણ અહી વિજિલન્સ, સીઆઈડી ક્રાઈમની ટુકડી પણ ત્રાટકી અને કેસ દાખલ કરી ગઈ છે.લાંબા સમયથી ભરત તેલચોરીના નેટવર્કને બેખોફીથી બેરોકટોક ચલાવતો હોવાનુ આવા ઘટનાક્રમો પરથી જ ફલિત થવા પામી રહી છે. હવે અંજાર પોલીસના પીઆઈ શ્રી સિસોદીયા અને તેમની ટીમે ભરત પર દરોડો પાડીને ફફડાટ ફેલાવી દીધો છે. ત્યારે ભરત આટઆટલો ફાટીને ફુલેકે ગયો છે કોના ભરોસે? કોણ ભરતને હિમંત આપી રહ્યુ છે? કોણ આવા તેલચોરને છાવરી રહ્યુ છે? શુ ભરતની પાછળ કાઈ રાજકારણીનો પણ હાથ રહેલો છે? ભરતનુ નામ તેલચોરીમાં અનેકવાર ઉછળ્યુ છે પણ તેની સામે કાર્યવાહી ખુબજ હળવી કલમોથી પૂર્ણ કરી લેવાતી હોય છે? આવી ગોઠવણી કયા ઝભ્ભાલેંગાધારીઓના ઈશારે કરવામાં આવતી હોય છે? તે બધી જ તપાસ કરી અને ખરેખર હવે અંજાર પોલીસે ભરતની સામે કડક કાર્યવાહી કરવામાં જો કોઈ રાજકીય આગેવાન નડતરરૂપ બનતા હોય તો તેનો ગુપ્ત અહેવાલ સરકાર તબક્કે કરી દેવો જોઈએ. જે કોઈ પણ રાજકારણી ભરતને છાવરતા હોય તેમનો નામજોગ ઉપલી કક્ષાએ અહેવાલ થશે એટલે વિધાનસભાની ચૂંટણીમાં તેની ટિકિટ તો ફાઈનલ થઈ જ જશે..! અહી જણાવી દઈએ કે, આ ભરતના ગેરકાયદેસર તેલચોરીના લાંબા સમયથી ચાલતા અડ્ડાઓના લીધે સાચો વેપારી-ટ્રાન્સપોર્ટસ સહિતનાઓ હાય તોબા હાય તોબા પોકારી ગયા હતા.કારણ કે, ટેન્કરમાં માલ તો ઓર્ડર અનુસારના જ ભરાયા હોય, પણ માર્ગમાં ભરતની ગેંગ તેમાથી ચોરીઓ કરી ટેન્કર કાઢી લે એટલે વેપાર-ધંધો જેઓએ પરસપર નકકી કર્યો હોય તેઓની વચ્ચે વિના વાંકે ઘર્ષણની સ્થિતી ઉભી થવા પામી જાય અને નાહકના ડખ્ખા, ધંધાની નુકસાની, આર્થીક ફટકાઓ પડી રહ્યા છે. ભરતના વરસાણા સહિતના જેટલા પણ પોઈન્ટ ધમધમતા હોય તે બધાયને અટકાવવા જોઈએ અને તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી ઘટે તે જ સમય નો તકાજો બની રહ્યો છે.

મુંદરાના હટડીમાં પવનચક્કીવાળી કંપની હવે આવશે સાણસામાં : લેન્ડગ્રેબીંગના ભણકારાં!

0

યુવા જાગૃત નાગરીકે કચ્છ કલેકટર કક્ષાએ રજુઆત કરતા, અરજીનો સ્વીકાર કરીને નિવાસી અધિક કલેકટર કક્ષાએથી પ્રાંતશ્રી મુંદરાને કાર્યવાહી કરવાનો આદેશ થતા મુંદરા પ્રાંતકક્ષાએ મામલતદારથી માંગ્યા અભિપ્રાય, ૧પમી ઓકટો.સુધીમાં માહીતીઓ આપવાનું અપાયું અલ્ટીમેટમ

નદીપટ્ટમાં ગ્રામ પંચાયત કે અન્ય કોઈ પણ તંત્રની મંજુરી લીધા વિના જ આડેધડ ૬૦થી વધુ વીજવાયરના થાંભલાઓ નાખી દેનાર રીન્યુ.પાવર કંપનીની દાદાગીરી ભર્યા કૃત્યુનં હવા હવે નીકળશે : આગામી ૧૮મીએ પ્રાંત કક્ષાએ સુનાવણીમાં અચુક હાજર રહેવાની કરાઈ તાકીદ, અગાઉની જેમ હવે કંપનીવાળાઓ હાજર નહી રહે તો થશે મોટી કાર્યવાહી..!

જિલ્લાસ્તરેથી લેન્ડ ગ્રેબીંગ મુદ્દેનો પત્ર આવ્યો છે, મામતલદાર કક્ષાએથી સમયમર્યાદામાં આધારો-પંચનામા સાથેનો અભિપ્રાય રજુ કરવાનુ જણાવાયુ છે : પ્રાંત અધિકારીશ્રી-મુંદરા : અમને આવી કોઈ નોટીસ મળવા પામી નથી, અને અમારી કંપનીમાં વહીવટી બધી જ મેટર્સ કાર્પોરેટ અફેર્સ દીલ્હી કક્ષાએથી જ જોવાય છે, અમો આ વિષય માટે કંઈ પણ કહેવા અસમર્થ છીએ : વિજયભાઈ(રીન્યુ.પાવર લી.કંપની) : પ્રાંત કક્ષાએથી ચોકકસથી લેખિત આદેશ અપાયો હશે, પરંતુ હજુ સુધી અમને મળવા પામ્યો નથી, આદેશ મળેથી વેળાસર જ ધોરણસરની કાર્યવાહી ચાલુ કરી દેવામા આવશે : શ્રી વિજય પટેલ(મામલતદાર-મુંદરા)

ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઉદ્યોગોએ અહીના ગ્રામીણ જીવનને તહેસ નહેસ કરવામાં કાંઈક બાકી છોડી દીધુ હશે તો પાછલા પાંચેક વરસથી કચ્છના ગ્રામીણ જીવનને વેરવિખેર કરવાની દીશામાં પવનચક્કીવાળાઓ લુખ્ખી અને ખુલ્લી દાદાગીરી કરીને તે કસર પુરી કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ એક પછી એક સતત ઉજાગર થવા પામતા જ રહે છે. દરમ્યાન જ મુંદરા તાલુકાના હટડી ગામની સીમમાં પણ નદીમાથી પવનચક્કી માટેના વીજથાંપલાઓ-ટ્રાન્સમિશનની લાઈનોના ૬૦થી વધુ થાંભલાઓ ખડકી દીધા સબબ જાગૃત નાગરીકે અનેકવિધ રીતે રજુઆતો કર્યા છતા માથાભારે અને ચમરબંધી કંપનીઓની સામે જાણે કે સબંધિત સ્થાનિક તંત્રો ઘુંટણીયે જ પડયુ રહેતુ હોય તેમ કાર્યવાહી થવા જ ન પામતા અંતે લેન્ડ ગ્રેબીંગ કાયદા તળે કાર્યવાહી કરવાની અરજી દાખલ કરતા તેનો સ્વીકાર કરી અને જિલ્લાતંત્ર હવે એકશનમાં આવી ગયેલુ દેખાવવા પામે છે અને તેના પગલે જ આ કંપની હવે સાણસામાં આવે તેવી સ્થિતી પણ પેદા થતી જોવાઈ રહી છે. આ બાબતે પ્રાંત અધિકારીશ્રી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મુંદરાનાઓ દ્વારા મુંદરા મામલતદારશ્રીને લેખિતમાં તાકીદ કરી અને ખુબ જ અગત્યની નોધ, સમયમર્યાદામાં માહીતીઓ પુરી પાડવાની સુચનાભર્યો આદેશ કરી દીધો હોવાનુ માલુમ પડી રહ્યુ છે. આ આદેશમાં જણાવ્યા અનુસાર મુંદરા પ્રાંત અધિકારીને ભુજના નવાસી અધિક કલેકટરશ્રીએ પત્ર લખી, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ર૦ર૦ તળે સબંધિત કેસમાં કાર્યવાહી કરવાની સુચનાઓ મળી હોવા અન્વયે આ કામના અરજદાર જયપાલસીહ લાલુભા જાડેજા દ્વારા મોજે હટડી તા.મુંદરા સ.ન.૪૩૦વાળી જમીન અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિદ્યેયક ર૦ર૦ અંતર્ગત ઓગષ્ટ ર૦રરમાં અરજી કરેલી છે. મુંદરાના પ્રાંત અધિકારીએ મામલતદારશ્રી પાસેથી આ અરજી સબબ સ્પષ્ટ અભિપ્રાય સાથેનો અહેવાલ આગામી તા.૧પમી ઓકટોબર સુધીમાં અચુક રજુ કરવાની તાકીદ સાથે સુચનાઓ લેખિતમં પાઠવી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. પ્રાંતશ્રી મુંદરાએ જણાવ્યા અનુસાર મામલતદારશ્રીએ આ કેસમાં તમામ ૭/૧ર, ૬-હકકપત્રક,૮-અ રજુ કરવા, નોંધોના સાંકળીયુ તેયાર કરવુ, સ્થાનિકનુ અદતન પંચોજકા સામેલ રાખવુ જેમા વાદગ્રસ્ત જમીન પર હાલ કોનો કબ્જો છે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો, આ સાથે જ ચેકલીસ્ટ સહિતનુ જરૂરી તપાસ અહેવાલ મોકલી આપવાનો આદેશ નાયબ કલેકટર મુંદરા દ્વારા મામલતદારને કરવામાં આવ્યો છે. નોધનીય છે કે, આ સમગ્ર કેસ બાબતે રજુઆત કર્તા ફરીયાદી તથા જેની સામે સવાલો ખડા કરાયા છે તે રીન્યુએબલ પાવર કંપની બન્નેને આગામી ૧૮ ઓકટોબરના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે પ્રાંત કચેરીએ બિનચુક હાજર રહેવાની પણ તાકીદ કરવામા આવી છે. નોધનીય છે કે, આ હીયરીંગમાં હાજર નહી રહેનારા કોઈ જ પ્રકારની રજુઆત કરવા માંગતા નથી એમ માની ગુણદોષ આધારે અહેવાલ ઉચ્ચસ્તરે મોકલી આપવામાં આવશે તેમ પણ જણાવાયુુ છે. એટલે અહી નોધવુ ઘટે કે, ફરીયાદી તો અગાઉ પણ દરેક તારીખો પર હાજર જ રહ્યા છે પરંતુ પવનચક્કીવાળી આડેધડ થાંભલા નાખી દેનારી કંપનીના કેાઈ જ જવાબદાર કે પ્રતિનિધીઓ હજુ સુધીની એક પણ સુનાવણીમાં હાજર રહ્યા જ નથી. આ વખતે તેઓને અચુક હાજર રહેવુ પડે તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આ અંગે પ્રાંત કચેરી મુંદરાએ પુછતા જણાવ્યુ હતુ કે, અમે મામલતદારશ્રી મુંદરા પાસેથી લેખિત વિગતો મંગાવેલી છે, જે આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામા ંઆવશે. તો મુંદરાના તાજેતરમા જ કાર્યભાર સંભાળેલા મામલતદારશ્રી વિજયભાઈ પટેલને પુછતા તેઓએ કહ્યુ કે, હજુ સુધી લેખિતમાં અમને આવી કોઈ સુચના મળી નથી, પત્ર મળેથી વિના વિલંબે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો વળી રીન્યુ પાવર પ્રા.લી.કંપનીના વીજયભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વહીવટી તમામ બાબતો કંપનીના કાર્પોરેટ એફેર્સ વિભાગ દિલ્હીથી જ જોવામાં આવે છે તેઓ કંઈ પણ કહેવા અસમર્થ છે.

ટાગોર રોડ પર અકસ્માત સર્જનારા પટેલ ટ્રાવેલ્સના ચાલક સામે ફરિયાદ

0

શ્રમીક પરિવારના ત્રણ સંતાનો નોંધારા બન્યા

ગાંધીધામ : બે દિવસ પૂર્વે ગાંધીધામના ટાગોર રોડ પર બીએસએનએલની ઓફિસ સામે પટેલ ટ્રાવેલ્સની બસ નં.એનએલ-૦૧બી-રર૪રના ચાલકે પૂર ઝડપે બસ હંકારી ફરિયાદી અંબાજીના કાળાભાઈ લશમાભાઈ પરમારના ભાઈને હડફેટમાં લઈ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણજનાર પાવરાભાઈ થાવરાભાઈ (ઉ.વ. ૪૦)એ આજથી ૮ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી ગાંધીધામ સ્થાઈ થયા હતા. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જોકે, પત્ની કોઈની સાથે ભાગી ગઈ હતી. જેથી ત્રણ સંતાનો અને થાવરાભાઈ થોડા સમય વતનમાં રહ્યા બાદ મહિના પહેલાં ગાંધીધામ આવ્યા હતા. ફરિયાદી કાળાભાઈ પોતાના ઘરે હતા ત્યારે અંબાજી પોલીસમાંથી ફોન આવ્યો કે, તમારા ભાઈનું અકસ્માત થયું છે. જેથી તેઓ અહીં આવ્યા ત્યારે જીઆઈડીસીમાં રહેતા ભાઈના ઘરે પહોંચ્યા અને પોલીસને મળ્યા બાદ જાણવા મળ્યું કે, પટેલ ટ્રાવેલ્સની બસના ચાલકે ટક્કર મારતા ભાઈનું મોત થયું છે ત્યારે ૮ વર્ષના દીકરા અર્જુનને ઈજાઓ થઈ હતી. જેથી બાળકો અને લાશનો કબજો સંભાળી લીધા બાદ ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીધામ સેકટર વન-એમાં ગુટખાના વેપારી પર SGSTની તવાઈ : તપાસથી કરચોરોમાં ફફડાટ

0

પ્લાસ્ટીક પેકીંગના બદલે કાગળ પેકીંગથી વેંચાણ કરવાના સરકારના આદેશો બાદ ગુટખા-તમાકુના વેપારમાં થઈ રહેલા કાળા બજારના પગલે જીએસટીની ટીમોના રડારમાં ગુટખા-તમાકુના વેપારી હોવાની ચર્ચા

ગાંધીધામ : તા. ૧ એપ્રિલથી દેશભરમાં પ્લાસ્ટીક પેકિંગમાં વેચાતા ગુટખા-તમાકુ પર પ્રતિબંધ લગાવવાના અને કાગળના પેકિંગમાં જ વેચવાના સરકારના આદેશથી છેલ્લા કેટલાંક દિવસોથી પ્લાસ્ટીક પેકિંગ ગુટખા-તમાકુના
વેપારમાં થઇ રહેલાં કાળા બજારને પગલે ગુટખા-તમાકુના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે ગુટખા-તમાકુના હોલસેલના વેપારીઓ વેચાણ વેરા વિભાગના નજરે ચઢ્યા છે. જેમાંથી ગાંધીધામ સંકુલ પણ બાકાત રહેવા પામ્યુ ન હોય તેમ અહી પણ સેકટર વન એ વિસ્તારમા આવેલી ગુટખાની એક પેઢી પર સ્ટેટ જીએસટી એકમની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. શહેરના સેકટર વન એ વિસ્તારમાં ગુટખાનો વેપાર કરતી પેઢી પર રાજયના વાણિજય વેરા વિભાગની તપાસનીશ ટુકડીએ ઓંચિતી રેડ કરી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. શુક્રવાર એટલે કે ગઈકાલે બપોર શહેરના સેકટર વન એ વિસ્તારમાં આવેલી ગુટખા સલગ્ન એક પેઢીમાં જીએસટી વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા અને છાનબીન શરૂ કરી હતી. જો કે, આ અંગે અધિકારીઓએ વધુ વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો હતો.પરંતુ કયાંક ને કયાંક ગુટખાની પેઢીઓમાં બિનહિસાબી વેપાર ચાલતો હોઈ તેમજ મોટા પ્રમાણમાં કરચોરી કરાતી હોવાની પણ આશંકાઓ સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. અધિકારીઓ આ બાબતે વધુ વાત જ ન કરતા કેટલી કરચોરી પકડાઈ છે, બિનહિસાબી વ્યહવારો મળ્યા છે કે નહી? તથા દંડની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? તે સહિતના સવાલોના જવાબ નિરૂત્તર જ રહી જવા પામ્યા છે. જો કે, ગુટખાના વેપારીને ત્યા જીએસટીની ટીમ આવી હોવાની વાત જંગલમાં આગની માફક ફેલાઈ જવા પામતા અન્ય કરચોર તત્વોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

કચ્છના ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારો સંપર્ક વિહોણા બન્યાનું ઉજાગર

0

  • ૮૦ વર્ષથી વધુ વયના મતદારોને સન્માનવા ટાંકણે વિગત આવી સામે

મતદારના મૃત્યુ, અન્ય સ્થળે રહેણાંક બદલ્યા બાદ નામ કમી ન કરાવ્યાનું તારણ : ચૂંટણી તંત્રે ફોર્મ – ૭ ભરી નામ કમી કરવાની હાથ ધરી કામગીરી

(બ્યુરો દ્વારા)ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ત્રણેક માસ જેટલો સમય બાકી રહ્યો હોઈ રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. હાલમાં જ ચૂંટણી પંચની સુચના અનુસાર ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ ધવર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી ૮૦ વર્ષથી વધુ ઉમરના મતદારોને શુભેચ્છા પત્ર પાઠવી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા, ત્યારે આ ઝુંબેશ દરમ્યાન ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારો સંપર્ક વિહોણા બન્યાનું ઉજાગર થવા પામ્યું છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લાની છ સહિત રાજ્યની ૧૮ર વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના મહાપર્વ એવા વિધાનસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ અત્યારથી જ સક્રિય બન્યું છે. સિનિયર સિટીઝનો તેમાં પણ ખાસ કરીને ૮૦ વર્ષથી વધુની ઉમરના મતદારો મતદાન કરે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશાનુસાર કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાની છ વિધાનસભા બેઠક પર નોંધાયેલા ૮૦ વર્ષથી વધુની ઉમરના ૩પ૧૮૦ મતદારો મતદાન કરે તે માટે તેઓને પત્ર લખવામાં આવ્યા હતા. બીએલઓ મારફતે આ પત્રો તમામ મતદારો સુધી પહોંચતા કરાયા છે. આવા મતદારો પ૦ વર્ષથી વધુ સમયથી મતદાન કરી રહ્યા છે તે માટે તેઓને શુભેચ્છા પણ પાઠવવાની સાથોસાથ આ સિનિયર સીટીઝન મતદારો ચૂંટણીમાં મતદાન કરે અને યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડે તે માટે વિનંતી પણ કરાઈ હતી. જો કે આ કામગીરી દરમ્યાન ૧૬૦૦ થી વધુ
બુઝૂર્ગ સંપર્ક વિહોણા બન્યાની પણ માહિતી મળવા પામી છે.આ બાબતે કચ્છના ચૂંટણી વિભાગના સુત્રોએ કે, ચૂંટણી પંચના આદેશ મુજબ કચ્છ જિલ્લામાં પણ ૮૦ વર્ષથી વધુ ઉમરના ૩પ૧૮૦ મતદારોને બીએલઓ મારફતે ઘરે જઈને શુભેચ્છા પત્ર પાઠવવામાં આવ્યા હતા. આ પત્ર પાઠવતી વેળાએ કચ્છની છ વિધાનસભા બેઠકો પર ૧૬૦૦ થી વધુ બુઝુર્ગ મતદારોનો સંપર્ક થઈ શકયો ન હતો. મતદારના મૃત્યુ, અન્ય સ્થળે રહેણાંક બદલ્યા બાદ નામ કમી ન કરાવ્યાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ ચૂંટણી તંત્રે ફોર્મ – ૭ ભરી નામ કમી કરવાની કામગીરી હાથ ધરી છે.