ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટીએ પણ ૬૦ લાખની રકમ કચરા પેટી માટે આપી હતી, નરપાલિકાએ પણ શહેરમાં કચરા પેટીઓ મુકાવી હતી, તો પછી કચરો જાહેરમાં સંકુલવ્યાપી કેમ સળવાગાય છે? ગંદકી શા માટે પડી છે ઠેરની ઠેર ? લાખોના ખર્ચે વસાવાયેલી કચરા પેટીઓ ગઈ કયાં ? નગરપાલિકાના હુ.તું..રતનીયો અને ફઈવાળા શાસનકારો પાસેથી કોઈક તો માંગો વિગતો? કોક તો લો પુછાણા?

શહેરના જીઆઈડીસી વિસ્તાર, ભારતનગરની પાછળ નાઈન-ડી એરીયા ઉપરાંત ઠેરઠેર ખુલ્લામાં બાવળીયાઓથી ઘેરાયેલા પ્લોટમાં કચરાઓ આડેધડ થાય છે નિકાલ : કેટલાક કિસ્સાઓમાં તો કચરાઓ જાહેરમાં જ બાળવામાં આવે છે, જે પ્રદુષણ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે બની જાય છે મોટુૃ જાેખમ : જીડીએ અને નગરપાલીકા બન્નેએ મળીને કચરા પેટી માટે લાખો ખર્ચયા, તો આ કચરાપેટી શહેરમાં કેમ કયાંય ડોકાતી જ નથી? યક્ષ સવાલ
આ બાબતે ચોકકસથી તપાસ કરાવીશુ, અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે : સંજય કુમાર રામાનુજ (મુખ્ય કારોબારી અધિકારી, ગાંધીધામ નગરપાલિકા)
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામની અ વર્ગની નગરપાલીકા એક યા બીજા વિષયોને લઈને સદાય ચર્ચાના એરણે જ ચડવા પામતી રહી છે. તેમાંય જયારથી આ નગરપાલિકામાં હુ..તુ..રતનીયો અને ફઈનુ શાસન આવ્યું છે ત્યારથી અહી વિવાદના સતત મધપુડાઓ છેડાઈ રહ્યા છે. આમપ્રજાજનો, મતદારો, વોર્ડવાસઓ, શહેરીજનો જાય તેલ લેવા, આ ચંડાળ ચોકડીને તો જાણે કે ખુદના જ ગજવા યેન કેન પ્રકારે ગરમ કરવા હોય તેમાં જ વ્યસ્ત પડયા હોવાનો રોષ પણ શહેરમાં સમયાંતરે બહાર આવતો જ રહેતો હોય છે. દરમ્યાન જ હવે શહેરની પ્રજા છત્તે પેસે,વધુ એક સુવિધાથી વંચીત રહી જવા પામી હોવાના કારસ્તાન શહેર-સંકુલમાં હાલમાં હોટટોપીક બની જવા પામી ગયું છે.
આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ નગરપાલીકાની ગંદકી અને કચરાઓ ખુલ્લામાં ન પડયા રહે, ખુલ્લામાં બાળવા-સળગાવીને પ્રદુષણને પ્રોત્સાહન ન મળે તે માટે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી અને નગરપાલીકા બન્નેએ મળીને શહેરમાં કચરાપેટીઓ રાખવાના માટે માતબર રકમની ફાળવણીઓ કરી હતી. કહેવાય છે કે, જીડીએ દ્વારા આ માટે ૬૦ લાખ જેટલી મોટી રકમની ફાળવણી કરવામાં આવી હતી. અને નગરપાલીકાએ પણ શહેર-સંકુલમાં કચરાપેટીઓ રાખવાને માટે ફંડની ફાળવણી કરી હતી. પરંતુ મજાની અન ેચોકાવનારી વાત એ છે કે, આ બન્ને સંસ્થાઓ દ્વારા શહેરમાં કચરાપેટીઓ રાખવાને માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તો પછી અત્યારે શહેરમાં આ લાખો રકમ જેના માટે ફાળવાઈ હતી તે કચરાપેટીઓ છે કયાં? શહેર-સંકુલમાંથી તો ઓજલ જ થઈ ગઈ છે? શહેર-સંકુલમાં તો આ કચરાપેટીઓ સમ ખાવા પુરતી પણ દ્રષ્યમાન થતી નથી? કે પછી કચરા પેટીઓ માત્ર કાગળ પર જ રાખવામાં આવી છે અને લાખોની ફંડની રકમની ભાગબટાઈઓ કરી લેવામાં આવી છે? પ્રબુદ્ધવર્ગમાં આ બધાય સવાલો ઉભા થવા પામી રહ્યા છે. નોધનીય છે કે, જાે આટઆટલી કચરા પેટીઓ રાખવા રકમ ફાળવાઈ હોય તો પછી ગાંધીધામ શહેર-સંકુલમાં ઠેરઠેર કચરા ખુલ્લામાં બાળવાની નોબત આવે જ શા માટે? બાવડની જાડીઓથી ઘેરાયેલા પ્લોટમાં કઈક વિસ્તારોમાં કચરાઓ બાળવામાં આવી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તાર હોય કે પછી ભારતનગર પાછળ નાઈન-ડી હોય, અહી ખુલલામાં કચરાનો નાશ કરવામા આવી રહ્યો છે? તો શુ આવા બધાય વિસ્તારોમાં કચરાપેટી લાખોની રકમો ફાળવાયા પછી પણ મુકી શકાઈ જ નથી? આ પ્રકારે જાહેરમાં કચરો બાળવામાં આવતો હોવાથી પ્રદુષણ પણ અહી વકરી રહ્યુ છે અને તેના પગલે જ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ૈને પણ તેની આડ અસર થવા પામી રહી હોવાની સ્થીતી ઉભી થવા પામી રહી છે. ખરેખર તો ગાંધીધામ નગરપાલિકા અને જીડીએ સહિતનાઓને જાે હકીકતમાં આવ રકમો કચરાપેટી માટે તેઓએ ફાળવી હોય તો તેમનાથી
તેનો હિસાબ માંગવો જ જેાઈએ. કોક તો કાન આમળવા જ ઘટે? કોઈક તો આ બાબતે કડક પુછાણા લેવા જાેઈએ તે જ
સમયની માંગ બની રહી છે.
બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી સંજય રામાનુજને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કચરા પેટી માટે સુધરાઈ હસ્તક કેટલી રકમ કુલ્લ ફાળવાઈ તે અંગે તપાસ કરાશે અને તેની સામે કચરાપેટીઓ ખરેખર કયા અને કેટલી મુકાઈ છે તે પણ તપાસ કરાવવાનું શ્રી રામાનુજે જણાવ્યુ હતુ.