માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં ૮૪ શખ્સો સામે સ્યુટ દાખલ કરવા હુકમ
ભુજ : કચ્છભરમાં ભારે ચકચારી બનેલા માંડવીના પાતાળેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં સંયુક્ત ચેરીટી કમિશ્નરની કચેરીએ ૮૪ શખ્સો સામે સ્યુટ દાખલ કરવાનો હુકમ કર્યો છે. ચેરીટી કમિશ્નરના આદેશમાં અરજદારોએ કરેલી અરજી મંજુર કરી પ્રતિવાદીઓ સામે ભુજની મુખ્ય સીવીલ અદાલતમાં અધિનિયમ કલમ પ૦ અન્વયે ટ્રસ્ટ સ્યુટ દાખલ કરવાની પરવાનગી આપી છે. આ કેસની વિગતો મુજબ શહેરના સર્વે નંબર ૧૫૪ વાળી જમીન જેના પર ૧૯૫૪ માં પાતાળેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર પછી પાતાળેશ્વર મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું હતું. ૧૯૫૬ માં ટ્રસ્ટના સ્થાપકનું નિધન અને ૧૯૫૭માં તેમના ધર્મ પત્નીની પણ હત્યા કરવામાં આવી હતી. આવા મિસ્ટ્રિકલ ધાર્મિક જમીનના પ્રકરણમાં વધુ એક વિવાદ છેડાયું છે. આ ટ્રસ્ટના પાવરદાર સ્વામી દિપ્તાનંદજીના જણાવ્યા મુજબ ખોટા પાવરનામા અને વીલ બનાવી આ આરોપમાં જેલની સજા ભોગવનારા ઈસમો દ્વારા જમીનને પચાવી પાડવાનો કારસો રચાયો છે. ૮૪ જેટલા લોકોના દસ્તાવેજો પણ બનાવી દેવાયા છે. અધિનિયમ ૧૯૫૦ અન્વયે વર્ષ ૧૯૬૦ માં ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયેલું હતું અને આ જમીન ઉપર મંદિરની સાથે રહેવા માટે ધર્મશાળા, કુવા ૧૦૦ થી વધુ વૃક્ષ હયાત હતા. જેથી ચેરીટી કમિશનરમાં સિવિલ સીટ કરી નકલી દસ્તાવેજો બનાવી આપવામાં આવ્યા છે તે રદ્ કરવા માટે પણ અપીલ કરાઈ છે. તમામ ૮૪ લોકોને પક્ષકાર બનાવી ચેરિટી કમિશનર દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટમાં દાવા અરજી ટ્રસ્ટ દ્વારા દાખલ કરાઈ છે. ધર્માદા અને પરમાત્માની આ જમીન ખાવાનું અધિકાર કોઈને નથી. કોઈપણ વ્યક્તિ આ જમીન ઉપર ખરીદ વેચાણ ન કરે તેવી પણ અપીલ તેમણે કરી હતી. જમીન પચાવી પાડવાના કારસામાં પાવરદાર સ્વામી દીપ્તાનંદ ગુરુ સ્વામી અનંતાનંદ મહારાજે ધાર્મિક જમીનમાં કોઈપણ જાતની દખલગીરી કે કબજો ન કરવા લોકોને અપીલ કરી હતી. માંડવી શહેરના માર્કેટ યાર્ડ પાછળ આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના કારસા સામે ૮૪ લોકો વિરુદ્ધ ચેરિટી કમિશનર દ્વારા સ્યુટ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યુ છે. આ ટ્રસ્ટના પાવરદાર સ્વામી દિપ્તાનંદે સંબધિતોને આ જમીન ઉપર કોઈ પણ જાતનો બાંધકામ કે દબાણ ન કરવા તેમજ લોકોને આ વિવાદિત જમીનમાં લેતી દેતી ન કરવા અપીલ કરી હતી. અને જો કોઈ પેશ કદમી કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.સંયુક્ત ચેરીટી કમિશ્નરની કચેરીએ કરવામાં આવેલી એનેક્ષર એ વાળી અરજીને મંજુર કરવામાં આવી છે. ભુજની અદાલતમાં ટ્રસ્ટ સ્યુટ દાખલ કરવાની મંજુરી સાથે અરજદારોએ મુંબઈ સાર્વજનીક ટ્રસ્ટ અધિનિયમ ૧૯પ૦ મુજબ ચેરીટી કમિશ્નર ગુજરાત રાજયને પ્રતિવાદી તરીકે પક્ષકાર જોડવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત રાજકોટ ચેરીટી કમીશ્નરની કચેરીએથી પૂર્વ મંજુરી મેળવ્યા વગર દાવા અરજીમાં મુળ વિષય અને વસ્તુને અસરકર્તા થાય તેવા
કોઈ પણ સુધારા - વધારા માટેની અરજી સબંધીત કોર્ટમાં રજુ કરી શકાશે નહીં અને પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારનું સમાધાન રજુ કરી શકાશે નહીં તેવી શરતોને આધીન હુકમ કરાયો છે.
Comments